AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: વિરાટ કોહલીને વન ડે ફોર્મેટના કેપ્ટન પદે થી હટાવાયો, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપાઇ

વિરાટ કોહલી (Virat Kohli) એ આ વર્ષે T20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, પરંતુ ODIમાં કેપ્ટન રહેવાનો નિર્ણય લીધો હતો, જેને હવે BCCI દ્વારા બદલી દેવામાં આવ્યો છે.

IND vs SA: વિરાટ કોહલીને વન ડે ફોર્મેટના કેપ્ટન પદે થી હટાવાયો, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપાઇ
Rohit Sharma-Virat Kohli
| Updated on: Dec 08, 2021 | 8:26 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (Rohit Sharma) ને T20 બાદ ODI ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ વિરાટ કોહલી (Virat Kohli) ને ODIની કેપ્ટનશીપથી હટાવીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાની જાહેરાત કરી છે. હવે રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India) આવતા વર્ષે T20 વર્લ્ડ કપ અને 2023માં ODI વર્લ્ડ કપમાં દાવો કરશે. આ સાથે રોહિતને ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટનશિપ પણ આપવામાં આવી છે.

BCCIએ બુધવાર, 8 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ (South Africa Tour) માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી અને તેની સાથે વરિષ્ઠ પસંદગી સમિતિએ પણ ટેસ્ટ અને મર્યાદિત ઓવરોમાં અલગ-અલગ કેપ્ટન રાખવાના નિર્ણયને મંજૂરી આપી હતી. રોહિતના નેતૃત્વમાં ભારતની પ્રથમ વનડે શ્રેણી દક્ષિણ આફ્રિકા સામે રમાશે, જેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.

એમએસ ધોની (MS Dhoni) એ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ 2017માં વિરાટ કોહલીને ODI અને T20માં સંપૂર્ણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે રોહિતને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારપછી કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ હોમ ગ્રાઉન્ડ ઉપરાંત વિદેશમાં પણ વન-ડે શ્રેણી જીતી છે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની જીત મહત્વની હતી. જો કે, કોહલીનો કેપ્ટન ભારતીય ટીમની 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી અને પછી 2019ના વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો, ત્યારબાદ તેને કેપ્ટન્સી પરથી હટાવવાની માંગ ઉઠી હતી.

કોહલીએ વ્યક્ત કરી ઈચ્છા, BCCI એ આપ્યો ઝટકો

કોહલીએ લગભગ 3 મહિના પહેલા T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. જો કે ત્યારબાદ કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે ટેસ્ટ અને વનડેમાં ટીમની કેપ્ટનશીપ પર વધુ ધ્યાન આપવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. જે બાદ રોહિત શર્માને T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે BCCIએ કોહલીની આકાંક્ષાઓ અને આશાઓને ફટકો આપતા રોહિતને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે.

રોહિત અને કોહલીનો કેપ્ટન્સી રેકોર્ડ

વિરાટ કોહલી અને રોહિત શર્માના નેતૃત્વમાં કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર છે. વિરાટની કપ્તાનીમાં ભારતે 95 વનડે રમી, જેમાં ટીમે 65માં જીત મેળવી, જ્યારે 27માં તેને હારનો સામનો કરવો પડ્યો. 1 મેચ ટાઈ હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. આ રીતે કોહલીની કેપ્ટનશિપમાં 68 ટકા સફળતાનો રેકોર્ડ નોંધાયો હતો. તે જ સમયે, ભારતે રોહિતની કપ્તાનીમાં 10 વનડે રમી છે, જેમાં 8માં જીત અને 2માં હાર થઈ છે.

આ પણ વાંચોઃ  IND vs SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનુ એલાન, રોહિત શર્માને ટેસ્ટ ટીમ માટે વાઇસ કેપ્ટન પદ સોંપાયુ

આ પણ વાંચોઃ AUS vs ENG: એશિઝ સિરીઝની શરુઆતમાં જ ઇંગ્લેન્ડના હાલ બેહાલ બન્યા, પેટ કમિન્સ સામે ઇંગ્લીશ ટીમ ઘૂંટણીયે, 147 રનમાં ઓલઆઉટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">