
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની બીજી મેચ આજે 04 જુલાઈના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાશે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ સ્ટેડિયમ ખાતે રમાયેલી બંને ટીમો વચ્ચેની આ સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે ભારતીય ઇનિંગ્સ બાદ રદ કરવામાં આવી હતી. સિરીઝમાં 1-0ની લીડ મેળવવા માટે આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવતી આ મેચ માટે બધાની નજર પીચ પર પણ છે અને છેલ્લી વખત જ્યારે ઇંગ્લેન્ડે અહીં ટી20 મેચ રમી હતી, ત્યારે તેઓએ 300થી વધુનો સ્કોર કર્યો હતો.
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં આ મેચ માટે પીચ અંગે, બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. ફાસ્ટ બોલરો શરૂઆતની ઓવરોમાં અસરકારક રહ્યા છે, પરંતુ તે પછી, તેમના માટે રનના પ્રવાહને રોકવા મુશ્કેલ બની જાય છે. માન્ચેસ્ટરમાં અત્યાર સુધીમાં કુલ 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરતી ટીમે ફક્ત ચાર મેચ જીતી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે છ મેચ જીતી છે. જેમાં પાંચ મેચ રદ કરવામાં આવી છે. અહીં સરેરાશ પ્રથમ ઇનિંગનો સ્કોર આશરે 150 રન છે. આ મેદાન પર ઇંગ્લેન્ડનો સારો રેકોર્ડ રહ્યો છે. ટીમે અહીં રમેલી 10 મેચમાંથી 7માં જીત મેળવી છે, જ્યારે 3 મેચમાં પરાજય ભોગવ્યો છે.
ભારતીય ટીમે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે બે T20 મેચ રમી છે. જેમાં 2011માં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્ટેડિયમમાં છેલ્લી વખત તેઓએ 2018માં T20 મેચ રમી હતી. જ્યાં તેઓએ 8 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો હતો. બીજી T20 મેચમાં હવામાન પણ મુખ્ય ભૂમિકા ભજવશે. વરસાદ મેચને વિક્ષેપિત કરવાની ધારણા છે.
ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં ફક્ત બે T20 મેચ રમી છે અને છેલ્લી વખત તે 2018માં ત્યાં રમી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલી પ્લેઈંગ ઈલેવનમાંથી એક પણ ખેલાડી વર્તમાન ટીમમાં નથી. તે મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ સરળતાથી 8 વિકેટથી મેચ જીતી લીધી હતી અને કુલદીપ યાદવ તે મેચનો હીરો રહ્યો હતો, તેણે ઈંગ્લેન્ડ સામે 24 રન આપીને 5 વિકેટ લીધી હતી.