IND vs ENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાંથી શ્રેયસ ઐય્યર બહાર, રોહિત શર્મા બીજી વન ડે નહી રમી શકે

|

Mar 24, 2021 | 5:39 PM

ભારતીય ટીમ (Team India) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે સિરીઝ (ODI Series) ની બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ડાબા ખભામાં ઇજા પહોંચી હતી.

IND vs ENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાંથી શ્રેયસ ઐય્યર બહાર, રોહિત શર્મા બીજી વન ડે નહી રમી શકે
Rohit Sharma-Shreyas Iyer injury

Follow us on

ભારતીય ટીમ (Team India) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે સિરીઝ (ODI Series) ની બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ડાબા ખભામાં ઇજા પહોંચી હતી. જેને લઇને હવે તે ઇંગ્લેંડ સામેની શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેને પ્રથમ વન ડે દરમ્યાન ઇજા પહોંચી હતી. BCCI એ બતાવ્યુ હતુ કે, અનુભવી ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) પણ આગળની મેચમાં હિસ્સો નહી લઇ શકે. બેટીંગ દરમ્યાન રોહિતને પણ ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood) ની 148 કિલોમીટર ની ઝડપનો બોલ રોહિત શર્માની કોણી પર વાગ્યો હતો. જેને લઇને તેને પીડા થઇ હતી.

બીસીસીઆઇ મુજબ જોની બેયરસ્ટો દ્રારા લગાવાયેલા એક શોટ ને બાઉન્ડ્રી પર રોકવા જવાની કોશિશ દરમ્યાન ઐય્યરનો ડાબો ખભો દબાણમાં આવી ગયો હતો. તે ટીમના માટે રન બચાવવા માટે તો સફળ રહ્યો હતો, પરંતુ તેને ખભામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. તેણે ખભો પકડીને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ. જ્યાંથી તેને સ્કેન માટે લઇ જવાયો હતો. આ બંને ખેલાડીઓના ઇજા થવા થી ભારતને વન ડે શ્રેણીમાં મોટો ઝટકો લાગ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોહિત શર્માએ મેચમાં 42 બોલમાં 28 રનની ઇનીંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા પણ સામેલ હતા. તેણે ઓપનીંગ ભાગીદારી રમત શિખર ધવન સાથે મળીને ટીમને મજબૂત શરુઆત આપી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત અને શિખર ઘવને 64 રન જોડ્યા હતા. રોહિત શર્માની ઇનીંગનો અંત ઇંગ્લેંડ ના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સએ કર્યો હતો. શ્રેયસ ઐય્યરના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તે ચોથા નંબર પર રમવા માટે આવ્યો હતો અને સસ્તામાં જ પેવેલિયયન પરત ફર્યો હતો. બંને ટીમો વચ્ચે બીજી વન ડે મેચ આગામી 26 માર્ચે પુણે ના એમસીએ સ્ટેડિયમમાં રમાનારી છે.

Next Article