ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) દ્રારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) નુ ઉદઘાટન થવાના બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ની ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ હતી. મેચના પ્રથમ દિવસે જ ભારતીય સ્પિનરોના શાનદાર પ્રદર્શનને લઇને ઇંગ્લેંડ બેકફુટ પર આવી ચુક્યુ હતુ. જેમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) અને રવિચંદ્રન અશ્વિન (Ashwin) ની જોડીએ ડે નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેંડને માત્ર 112 રન પર જ સમેટી લીધુ હતુ. તેના બાદ ભારતીય ટીમ એ પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. આમ આ સમયે ટીમ ઇન્ડીયા (Team India) મજબૂત સ્થીતીમાં છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક વાતની ચિંતા સતાવી રહી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચિંતા દર્શાવતા કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાઇટ્સ દ્રશ્યતા પર સીધી અસર પડી શકે છે. સાથે જ ખેલાડીઓએ જલ્દી થી પોતાના તેને અનુરુપ થવુ પડશે. વિશ્વના સૌથી મોટા નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પારંપારિક ફ્લડ લાઇટ નથી, પરંતુ છતના પરિમાપમાં જ એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી છે. જે દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના ‘રિંગ ઓફ ફાયર’ની માફક છે. જેના થી ફિલ્ડીંગ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
કોહલીએ એ કહ્યુ હતુ કે, માહોલ ખૂબ જ રોમાંચક છે. હું બેઠકોના રંગ થી વધારે લાઇટ્સ ને લઇને ચિંતીત છું. તેમણે કહ્યુ કે, આવી લાઇટ્સમાં બોલને જોવામાં મુશ્કેલી ઉભી થાય છે. આ પ્રકારના સ્ટેડિયમમાં અમે દુબઇમાં પણ રમ્યા હતા. અમારે તેના અનુરુપ જલ્દી થી ઢળી જવુ પડશે. દુબઇમાં પાછળના વર્ષે આઇપીએલ દરમ્યાન આ પ્રકારની લાઇટ્સમાં અનેક આસાન કેચ ફિલ્ડરોથી છુટ્યા હતા. ભારતીય ઇનીંગ દરમ્યાન ઇંગ્લેંડ ના ફિલ્ડરોએ વિરાટ કોહલીનો એક આસાન કેચ પણ છોડ્યો હતો. જોકે વિરાટ કોહલી તેનો વધારે ફાયદો ઉઠાવી શક્યા નહોતા અને 27 રન કરીને જ ક્લીન બોલ્ડ થઇ પેવેલિયન ફર્યો હતો.