ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ એસજી બોલ (SG Ball) પર નારાજગી દર્શાવી છે. આ પહેલા ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ પણ બોલ ને લઇને ફરીયાદ કરી હતી. મેચ ગુમાવવા બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પ્રથમ ટેસ્ટમાં તે SG બોલની ગુણવત્તા થી સંતુષ્ટ નથી.
ભારતીય બોલર્સ ( Indian Bowlers) બોલની સ્થિતીને લઇને ખુશ નહોતા. તેને બદલવા માટેના તેમના અનુરોધને મેદાની અંપાયરો નિતિન મેનન અને અનિલ ચૌધરીએ નહોતુ માન્યુ. કોહલીએ કહ્યુ હતુ કે, SG ટેસ્ટ બોલમાં એ સ્તર નહોતુ જે પહેલા હતુ. બોલ 60 ઓવર બાદ પુરી રીતે ખરાબ થઇ ચુક્યો હતો, ટેસ્ટમાં એમ ના થવુ જોઇએ. કોઇ ટીમ તેની અપેક્ષા નથી કરતી. આ કોઇ બહાનુ નથી. ઇંગ્લેંડ (England) ની ટીમ સારુ રમી હતી અને જીતની હકદાર હતી.
મેરઠની સાંસપારેલ્સ ગ્રીનલેન્ડ્સ (SG) એ આ સિરઝ માટે નવો બોલ બનાવ્યો હતો. જે ઘેરા રંગનો છે અને જેના થી સીમ વધારે મળશે. પરંતુ બોલરોને તેની ગુણવત્તામાં કમી દેખાઇ છે. અશ્વિન એ 8 ફેબ્રુઆરીએ કહ્યુ હતુ કે, બોલ સુંદર છે પરંતુ અમારી માટે કંઇક અજીબ હતુ. મે ક્યારેય એસજી ના બોલને સીમ થી આટલી હદે ખરાબ થતી નથી જોઇ. કદાચ પહેલા બે દિવસ પિચ કઠણ હોવાને લઇને આમ થઇ શક્યુ હોય. પરંતુ બીજી ઇનીંગમાં 35-40 ઓવર બાદ આ જોઇ શકાયુ.
અશ્વિને સાથે જ કહ્યુ હતુ કે, આશા છે કે, સિરીઝની બાકીની મેચોમાં તેમને એસજી બોલને લઇને જવાબ મળશે. ભારતીય સ્પિનર આ પહેલા વર્ષ 2018માં કહ્યુ હતુ કે, કુકાબુરા બોલ થી બોલીંગ કરવાની મજા આવે છે. ત્યાં કોહલીએ પણ કુકાબુરા બોલના વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, જો બોલ કઠણ રહે છે ત્યારે, વધારે ઉછાળ મળે છે. પરંતુ 10-12 ઓવરમાં જ બોલ નરમ પડી જાય છે, ત્યારે તમારા પ્રયાસોમાં 20 ટકા કમી વર્તાય છે. માટે જ બોલની ગુણવત્તાને બનાવી રાખવાની જરુર છે. નહી તો ટેસ્ટ મેચમાં અનેક ઠંડા સેશન હશે.