BCCIને નજર અંદાજ કરી T20 ટુર્નામેન્ટ રમાડી દીધી, હવે આ રાજ્યના ક્રિકેટરો પર લાગી શકે છે પ્રતિબંધ

|

Mar 30, 2021 | 10:24 AM

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ (BCA) એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCI ના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગ (BCL) નુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ.

BCCIને નજર અંદાજ કરી T20 ટુર્નામેન્ટ રમાડી દીધી, હવે આ રાજ્યના ક્રિકેટરો પર લાગી શકે છે પ્રતિબંધ
BCCI

Follow us on

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ (BCA) એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCI ના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગ (BCL) નુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ. BCL નુ આયોજન 20 થી 26 માર્ચ વચ્ચે પટણામાં આયોજન કરવામા આવ્યુ હતુ. ટુર્નામેન્ટમાં પાચ ટીમોએ હિસ્સો લીધો હતો, જેમાં દરભંગા ડાયમંડ્સ (Darbhanga Diamonds) વિજેતા રહ્યુ હતુ. જેનુ પ્રસારણ યૂરોસ્પોર્ટસ (EuroSports) ચેનલ પર કરવામાં આવ્યુ હતુ.

BCCI એ 23 માર્ચે પત્ર લખીને BCA ને કહ્યુ હતુ કે, તેમની T20 લીગને મંજૂરી મળી નથી અને તેને તુરત જ રોકી દેવી જોઇએ. બીસીએ ના અધિકારીઓએ જોકે તે પત્ર ને નજર અંદાજ કરીને ટુર્નામેન્ટનુ આયોજન જારી રાખ્યુ હતુ. બીસીસીઆઇએ પત્રમાં લખ્યુ હતુ કે, જો બીસીએ ટુર્નામેન્ટને રદ નથી કરતી તો તેણે બોર્ડના સંવિધાન અનુસાર પ્રતિબંધ ઉઠાવવો પડશે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, અમે બિહાર રાજ્યમાં ક્રિકેટ સંસ્કૃતિ તૈયાર કરવાના નિરંતર પ્રયાસોની સરાહના કરીએ છીએ. અમે આપને આશ્વત કરીએ છીએ કે બીસીસીઆઇ ના નિયમો મુજબ બીસીએ સહયોગ કરશે. આ માટે બીસીસીઆઇ આપને T20 ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્દેશ કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પત્ર અનુસાર, જો બીસીએ આ T20 ટુર્નામેન્ટને રદ નથી કર્યો તો, બીસીસીઆઇ ના નિયમ અને દિશાનિર્દેશોનુસાર ગેરમાન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ માનવામાં આવશે. સાથે જ બીસીસીઆઇ ના નિયમોનુસાર પ્રતિબંધ માટે પણ બીસીએ ઉત્તરદાયી રહેશે. બીસીસીઆઇએ આ ઉપરાંત પણ કહ્યુ હતુ કે, બોર્ડના મૌનને બીસીએ અધિકારીઓએ મંજૂરી માનીને ટૂર્નામેન્ટને આગળ વધારી છે.

Published On - 10:21 am, Tue, 30 March 21

Next Article