ટી-20 લીગ માં સૌથી વધારે વિકેટ લેનારા, ભારતીય બોલરની જો વાત કરવામાં આવે, તો સૌથી ટોપ પર આ યાદીમાં નામ, લસિંથ મલિંગા નુ નામ આવે છે, પરંતુ તુરત જ બીજા ક્રમે જે નામ છે, તે ભારતીય સ્પિનરનુ નામ છે. અમિત મિશ્રા ભારતીય બોલર તરીકે, સૌથી વધુ વિકેટ લેનારો બોલર ટી-20 લીગમાં છે. પરંતુ તેને ભારતીય ક્રિકેટના કેરીયરને, લઇને માત્ર નિરાશા જ સાંપડી છે.
દિલ્હી કેપીટલ્સ તરફ થી રમતો અમિત મિશ્રાએ, સતત સારુ પ્રદર્શન તેની ટીમ માટે કર્યુ છે. આ બોલરે તેની લાઇન અને લેન્થ સાથે બોલીંગમાં અનેક પ્રકારે વેરીએશનને લઇને અનેક દિગ્ગજ ખેલાડી બેટ્સમેનનોને પરેશાન રાખ્યા છે.
ટી-20 લીગમાં 148 મેચો રમીને 157 વિકેટો અમિત મિશ્રા મેળવી ચુક્યો છે. દિલ્હી કેપીટલ્સ ની ટીમે હંમેશા તેના આ બોલર પર ભરોસો રાખ્યો છે. તો અમિત મિશ્રાએ પણ અનેક વાર જરુરીયાતના સમયે વિકેટ ઝડપી લઇને ટીમને ઉપયોગી નિવડ્યો છે.
મિશ્રાની જો ટીમ ઇન્ડીયાના કેરીયર વિશે વાત કરવામાં આવે તો 22 ટેસ્ટ મેચોમાં તેણે 76 વિકેટો મેળવી છે. જયારે 36 વન ડે મેચોમાં તેના નામે 64 વિકેટ છે. મિશ્રાએ 10 ટી-20 પણ રમ્યો છે જેમાં તેણે 16 વિકેટ ઝડપી હતી.
જોકે મિશ્રાને જ્યારે પુછવામાં આવ્યુ કે તે તેના આંતરરાષ્ટ્રીય કેરીયર ના મામલામાં શુ વિચારે છે. એવામાં તેમનો જવાબ છે કે તેને આજ સુધી એ નથી મળી શક્યુ કે જેનો તે હકદાર હતો. મિશ્રા એ આગળ પણ એમ કહ્યુ કે તેને આ બધી વાતો થી કોઇ જ ફેર નથી પડતો કારણ કે તે પોતાની બોલીંગ અને કેરીયર પર ફોકસ કરી રહ્યા છે. અને લોકોને પણ એ ખબર છે કે અમિત મિશ્રા કોણ છે. એન માટે એટલુ જ કાફી છે.
મિશ્રા ને રાહુલ તેવટીયાની રમતને લઇને પણ કહ્યુ હતુ કે, આવી રમત દાખવવા માટે તેને શુભેચ્છા પરંતુ આવી રમત લગાતાર નથી રમી શકાતી મિશ્રા પણ ઇચ્છે છે કે તેવટીયા પણ ભવિષ્યમાં પણ આવુ પ્રદર્શન કરે.
આ પણ વાંચોઃટી-20 લીગ: જાણો RCBને સુપર ઓવરમાં મળેલી જીતને લઈને શું બોલી અનુષ્કા શર્મા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો