WTC Final: સંજય માજરેકરને રવિન્દ્ર જાડેજા સાથે 36નો આંકડો જારી! કહ્યું તેનાથી જ થયુ સૌથી વધુ નુકસાન

|

Jun 25, 2021 | 10:39 PM

પહેલા પણ તે જાડેજાના સિલેકશનથી લઈને અંગ્રેજી ભાષા નહીં આવડતી હોવા જેવા મુદ્દે પણ વિવાદ છેડાયો હતો. માંજરેકરે 2019માં જાડેજાને 'બાઈટ એન્ડ પીસીસ' એટેલ કે ટુકડામાં રમનારો ક્રિકેટર ગણાવ્યો હતો.

WTC Final: સંજય માજરેકરને રવિન્દ્ર જાડેજા સાથે 36નો આંકડો જારી! કહ્યું તેનાથી જ થયુ સૌથી વધુ નુકસાન
Sanjay Majrekar-Ravindra Jadeja

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ફરી એકવાર વિવાદીત ચર્ચા શરુ કરી છે. સંજય માજરેકર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની પાછળ હાથ ધોઈને પડી ગયા હોય એમ વિવાદાસ્પદ ચર્ચા કરતા રહે છે. ફરી એકવાર માંજરેકરે જાડેજાને લઈને વિવાદ સર્જતુ નિવેદન આપ્યુ છે. માંજરેકરે એવા સમયે ફરી વિવાદ છેડ્યો છે, જ્યારે જાડેજા નંબર વન ઓલરાઉન્ડર ટેસ્ટ ક્રિકેટર તરીકે આઈસીસી રેન્કિંગ (ICC Ranking)માં આવ્યો છે.

 

પહેલા પણ તે જાડેજાના સિલેકશનથી લઈને અંગ્રેજી ભાષા નહીં આવડતી હોવા જેવા મુદ્દે પણ વિવાદ છેડાયો હતો. માંજરેકરે 2019માં જાડેજાને ‘બાઈટ એન્ડ પીસીસ’ એટેલ કે ટુકડામાં રમનારો ક્રિકેટર ગણાવ્યો હતો. જેનો જવાબ જાડેજાએ ટ્વીટ કરી કર્યો હતો. હવે માંજરેકર ફરી રાગ આલોપવા લાગ્યા છે કે ટીમ ઈન્ડીયામાં જાડેજાનું સિલેકશન કેમનું થાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

જાડેજાના ટીમમાં સિલેકશનને લઈને દરેક વખતે વાંધાઓ કાઢતા માંજરેકરે મીડિયા રિપોર્ટસ મુજબ સવાલ ઉઠાવ્યા છે. માંજરેકરે કહ્યું હતુ તમે ટીમમાં સ્પેશિયાલિસ્ટ ખેલાડી પસંદ કરો છો. તમને લાગે છે કે, પીચ સુકી છે અથવા ટર્ન નથી લઈ રહી તો તમે જાડેજાને લેફ્ટ આર્મ સ્પિનરના રુપમાં ટીમમાં સામેલ કેમ કરો છો, તેનો મતલબ બને છે. જો કે તેને બેટ્સમેનના રુપમાં ટીમમાં પસંદ કરો છો, મને લાગે છે કે ટીમને તેનાથી સૌથી વધારે નુકસાન થયુ છે.

 

માંજરેકરે આગળ કહ્યું કે ભારતે એક ખેલાડીને તેની બેટીંગ માટે પસંદ કર્યો હતો અને તે રવિન્દ્ર જાડેજા હતો. તેને ટીમમાં પસંદ કરવાનું કારણ તેનું લેફ્ટ આર્મ સ્પિન નહોતુ. તેને તેની બેટીંગ માટે પસંદ કરવામાં આવ્યો હતો, હું હંમેશા તેની વિરુદ્ધ રહ્યો છુ. જોકે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)માં જાડેજાના પ્રદર્શન ખાસ નહોતુ નિવડ્યુ. જાડેજાએ પ્રથમ ઈનીંગમાં 15 રન અને બીજી ઈનીંગમાં 16 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનીંગમાં 7.2 ઓવર કરી હતી અને એક વિકેટ મળી હતી.

 

આ પણ વાંચો: Cricket: બેટ્સમેન સદી તો ચૂક્યો સાથે એવા સ્કોરે આઉટ થયો કે વિચિત્ર વિકેટ ગુમાવવાનો અફસોસ રહી જાય

 

આ પણ વાંચો: World Cup 1983: ઇંગ્લેન્ડમાં ભારતે ઇતિહાસ રચ્યો હતો, ધુરંધર ટીમને હરાવી વિશ્વ વિજેતા ટીમ બની હતી

Next Article