Anurag Thakur : પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ની ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ નહિ રમવાની ધમકી પર રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત રમતનું પાવર હાઉસ છે ખાસ રીતે તેને ક્રિકેટને ધણું બધુ આપ્યું છે અને તે કોઈની વાત સાંભળશે નહિ, તમને જણાવી દઈએ કે, PCBએ બુધવારના રોજ ધમકી આપી હતી કે, તે ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ન રમવાનું વિચારી રહ્યા છે.અનુરાગ ઠાકુરે (Anurag Thakur)ખેલો ઈન્ડિયા યૂથ ગેમની ઈવેન્ટમાં કહ્યું કે, બીસીસીઆઈ (Bcci)નો આ મામલો છે અને તે આ વાત પર પ્રતિક્રિયા આપશે.
ભારત એક સ્પોર્ટિંગ પાવરહાઉસ છે અને અહિ અનેક વર્લ્ડકપ રમાયા છે, આગામી વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપ આયોજિત થશે જેમાં દરેક મોટી ટીમો ભાગ લેશે કારણ કે, તમે કોઈપણ રમતમાં ભારતની અવગણના કરી શકતા નથી. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, ‘આવતા વર્ષે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને તેની ઈવેન્ટ ભવ્ય હશે. પાકિસ્તાન જવા અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે કારણ કે, ત્યાં સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે. વાત માત્ર ક્રિકેટની નથી. ભારત કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી.
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ સચિવ જય શાહે 18 ઓક્ટોબરના રોજ કહ્યું કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 રમવા પાકિસ્તાન જશે નહિ, ત્યારબાદ સતત આના પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ધમાલ મચી છે દરેક મોટા ક્રિકેટરો એક્સપર્ટ પીસીબીને સલાહ આપી રહ્યા છે કે, જો એશિયા કપ 2023 રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહિ તો ફરી ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં તેને પણ ભાગ લેવો જોઈએ નહિ.
તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023માં પાકિસ્તાનમાં યોજાવાનો છે. તે ODI ફોર્મેટમાં રમાશે. જોકે, ACC પ્રમુખ જય શાહે આ નિવેદન આપ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. એશિયા કપ બાદ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, તે ટૂર્નામેન્ટને લઈને પણ હોબાળો થવાનો છે.
Published On - 2:44 pm, Thu, 20 October 22