WITT: બંને હાથ નથી છતાં કરે છે અદ્ભુત બેટિંગ, TV9 નેટવર્ક સૌથી જુસ્સાદાર ક્રિકેટર આમિર હુસૈન લોનનું કરશે સન્માન

જમ્મુ-કાશ્મીરના વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન લોનની કહાની અદભૂત છે. આમિર પાસે બંને હાથ નથી પરંતુ તેમ છતાં તેણે ક્રિકેટર તરીકે પોતાનું નામ બનાવ્યું છે. તેમનું નામ પણ એવું છે કે દુનિયા તેમને સલામ કરે છે. TV9 નેટવર્ક પણ આમિરના જુસ્સાને સલામ કરે છે અને દિલ્હીમાં યોજાનારી WITT સમિટમાં તેનું સન્માન કરવામાં આવશે.

WITT: બંને હાથ નથી છતાં કરે છે અદ્ભુત બેટિંગ, TV9 નેટવર્ક સૌથી જુસ્સાદાર ક્રિકેટર આમિર હુસૈન લોનનું કરશે સન્માન
Aamir Hussain Lone
| Updated on: Feb 22, 2024 | 9:48 PM

‘સચ હોતે હે ઉનકે સપને જિનકે સપનો મે જાન હોતી હે, કુછ નહીં હોતા પંખો સે હોંસલો સે ઉડાન હોતી હે’. જમ્મુ અને કાશ્મીરના ક્રિકેટર આમિર હુસૈન લોને આ પંક્તિઓ સાચી સાબિત કરી છે અને હવે TV9 નેટવર્ક તેના પ્લેટફોર્મ પર આ ખાસ ખેલાડીનું સન્માન કરવા જઈ રહ્યું છે.

‘વોટ ઈન્ડિયા થિંકસ ટુડે’

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની સ્પેશિયલ ઈવેન્ટ ‘વોટ ઈન્ડિયા થિંકસ ટુડે’ ફરી એક વાર પરત આવી રહી છે. જેનું આયોજન 25 ફેબ્રુઆરીથી કરવામાં આવશે. દેશની રાજધાની નવી દિલ્હીમાં 3 દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

કોણ છે આમિર હુસૈન લોન?

તમે આપણા ઘણા ખેલાડીઓને પીડા અને ઈજાઓ છતાં રમતા જોયા હશે, પરંતુ આપણા દેશ ભારતમાં એક એવો ખેલાડી છે જેની પાસે તેના બંને હાથ નથી પરંતુ તે ઉત્તમ બેટિંગ કરી શકે છે અને તેની બોલિંગ પણ અદભૂત છે. અમે વાત કરી રહ્યા છીએ જમ્મુ-કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર હુસૈન લોનની, જે છેલ્લા 11 વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યા છે.

8 વર્ષની ઉંમરે અકસ્માતનો ભોગ બન્યો

આમિર હુસૈન લોન 8 વર્ષના હતા ત્યારે તેમની સાથે એક દુ:ખદ અકસ્માત થયો હતો. તે તેના પિતાની મિલમાં અકસ્માતનો શિકાર બન્યો હતો અને ત્યારબાદ તેણે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા. પરંતુ આમિર હુસૈનને ક્રિકેટ પસંદ છે અને તેના બંને હાથ ગુમાવવા છતાં તેણે રમત છોડી ન હતી. હવે તમે વિચારતા હશો કે આમિર કેવી રીતે બેટિંગ અને બોલિંગ કરે છે? તો બેટિંગ માટે આમિરે તેના ખભા અને ગરદન વચ્ચે બેટ પકડે છે. તે બોલિંગ માટે પોતાના પગનો ઉપયોગ કરે છે.

ગૌતમ અદાણીએ આમિર માટે ખાસ મેસેજ લખ્યો

આમિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ જોયો અને તે આ ખેલાડીનો ફેન બની ગયો. આ પછી ગૌતમ અંદાણી ફાઉન્ડેશન આમિરની મદદ માટે આગળ આવ્યું અને આ ખેલાડીને આર્થિક મદદ કરી. ગૌતમ અદાણીએ આમિર માટે ખાસ મેસેજ પણ લખ્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું કે તે આમિરની હિંમત, રમત પ્રત્યેના સમર્પણ અને પ્રતિકૂળ સંજોગોમાં ક્યારેય હાર ન માનવાની તેની ભાવનાને સલામ છે.

આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઈટન્સ પાંચ મેચ રમશે, જાણો અમદાવાદમાં કેટલી મેચો રમાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.