શું વિરાટ કોહલી ટેસ્ટ મેચ નહીં રમે? BCCI પણ કમબેક વિશે અજાણ

વિરાટ કોહલીને પ્રથમ અને બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ હૈદરાબાદ ટેસ્ટ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટને અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વિરાટ ત્રીજી ટેસ્ટમાંથી પરત ફરશે પરંતુ હવે તેના પર પણ શંકાઓ ઉભી થઈ રહી છે.

શું વિરાટ કોહલી ટેસ્ટ મેચ નહીં રમે? BCCI પણ કમબેક વિશે અજાણ
Virat Kohli
| Updated on: Jan 31, 2024 | 8:35 AM

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સારી સ્થિતિમાં હોવા છતાં, ભારતીય ટીમ હૈદરાબાદમાં મેચ જીતી શકી ન હતી કારણ કે તેના બેટ્સમેનો ચોથી ઇનિંગમાં 231 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શક્યા ન હતા. હવે ભારતે આગામી મેચમાં પુનરાગમન કરવું પડશે, જેથી શ્રેણી જીતવાની શક્યતા પ્રબળ બની રહે.

વિરાટ કોહલીની વાપસી અંગે શંકા

હાર સિવાય ટીમ માટે અત્યારે કોઈ સારા સમાચાર નથી. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ઈજાએ તેને આંચકો આપ્યો છે અને હવે વિરાટ કોહલીની વાપસી અંગે પણ શંકા વધી ગઈ છે.

શું વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે?

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ટેસ્ટ સિરીઝની પ્રથમ અને બીજી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હૈદરાબાદ ટેસ્ટના 3 દિવસ પહેલા BCCIએ અચાનક ટીમમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે કોહલીએ અંગત કારણોસર બંને ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. BCCIએ તે સમયે કહ્યું ન હતું કે કોહલી ત્રીજી ટેસ્ટમાંથી વાપસી કરશે કે નહીં? આ પ્રશ્ન હજુ યથાવત છે.

BCCI પણ કોહલીના કામબેકને લઈ અજાણ

BCCIએ હજુ સુધી શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ટીમની જાહેરાત કરી નથી. દરેકને આશા છે કે કોહલી ત્રીજી ટેસ્ટથી ટીમમાં વાપસી કરશે પરંતુ હાલમાં આ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે કોહલી બાકીની મેચોમાં ભાગ લે તો પણ ચિત્ર સ્પષ્ટ નથી. અહેવાલમાં BCCIના એક અધિકારીને કહ્યું કે બોર્ડને હજુ સુધી કોહલી તરફથી કોઈ માહિતી મળી નથી.

બીજી ટેસ્ટ પર ધ્યાન આપો

કોહલી ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે કે નહીં તે થોડા દિવસોમાં ખબર પડશે, જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવશે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, જેમાં હજુ 2 અઠવાડિયાથી વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં કોહલી પાસે પુનરાગમન કરવા માટે ઘણો સમય છે. હાલમાં, ધ્યાન ફક્ત વિશાખાપટ્ટનમ પર રહેશે, જ્યાં બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો : ઈંગ્લેન્ડના કોચના નિવેદને રોહિત શર્માની વધારી મુશ્કેલી, ટીમ ઈન્ડિયાને મળ્યો ખુલ્લો પડકાર!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો