રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? IND vs ENG વનડે પહેલા જાણો આખો મામલો

Rohit Sharma : રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? આ સમગ્ર ઘટનાના તાર 7 વર્ષ જુની ઘટના સાથે જોડાયેલા છે. જ્યારે રોહિત શર્મા દુખી થયો હતો. ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે તેમના પ્રયત્નો પૂરતા ન હતા.

રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? IND vs ENG વનડે પહેલા જાણો આખો મામલો
Image Credit source: AI
| Updated on: Jul 14, 2026 | 11:27 AM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરિઝ તો રમાઈ રહી છે પરંતુ આ પહેલા શું તમે જાણો છો કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડી રહ્યો હતો. આ ઘટના હાલની નથી પરંતુ 7 વર્ષ જુની છે. રોહિત શર્માના ઈંગ્લેન્ડમાં રડવાના તાર વર્ષ 2019 સાથે જોડાયેલા છે. અહી વનડે વર્લ્ડકપ રમાયો હતો. રોહિત શર્મા આ વર્લ્ડકપમાં બેટિંગનો બાદશાહ બનીને છવાયો હતો. પરંતુ તે બાદશાહ પોતાની ટીમને ટ્રોફી જીતાડી શક્યો ન હતો. આંખમાં આંસુ આવ્યા હતા. રોહિત શર્માની સાથે આ ઘટના સેમિફાઈનલમાં મળેલી બાદનો છે.

રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો?

ભારતને વનડે વર્લ્ડકપ 2019ના પહેલા સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડના હાથે હાર મળી હતી. ન્યુઝીલેન્ડે મૈનચેસ્ટરમાં રમાયેલ સેમિફાઈનલાં ભારતને 18 રનથી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યું હતુ. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી માટે આ પળ ખુબ ઈમોશનલ હતી. પરંતુ ડ્રેસિંગ રુમમાં રોહિત શર્માનું દુખ તેના આંસુમાં જોવા મળ્યું હતુ. કારણ કે, આ વર્લ્ડકપમાં તેમણે શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયાને જીતાવી શક્યો ન હતો.

2019 વનડે વર્લ્ડકપનો સૌથી સફળ બેટ્સમેન હતો રોહિત શર્મા

રોહિત શર્મા 2019 વનડે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સફર સેમિફાઈનલમાં રોકાઈ હતી. તેમ છતાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેમજ તેમણે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સદી પણ ફટકારી હતી. રોહિત શર્માએ 2019 વનડે વર્લ્ડકપમાં રમાયેલી 9 મેચની 9 ઈનિગ્સમાં 81 રનની સરેરાશ સાથે 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 5 સદી ફટકારી કુલ 6 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો હતો.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં રોહિત પર નજર

હવે રોહિત શર્માની નજર 2027માં શરુ થનારા વનડે વર્લ્ડકપ પર છે. ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ ખુબ ખાસ છે. રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેનમાંથી એક છે. તેમજ હાલની વનડે સીરિઝમાં પણ તેની પાસે ટીમ ઈન્ડિયાને મોટી આશા છે.ઇંગ્લેન્ડ સામેની ODI સીરિઝમાં એક સદી ફટકારી ધમાલ કરશે. પ્રથમ, તે સૌથી વધુ સદીઓ ફટકારનાર ભારતીય ઓપનર બનશે. બીજું, તે 39 વર્ષની ઉંમરે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બનશે. અને ત્રીજું, તે ડોન બ્રેડમેન પછી ઇંગ્લેન્ડમાં 10 સદી ફટકારનાર બીજો વિદેશી બેટ્સમેન બની શકે છે.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us