હું તેને આખી જીંદગી યાદ રાખીશ… RCBની હાર પછી વિરાટે પોતાની દિલની લાગણી વ્યક્ત કરી

|

May 23, 2024 | 9:41 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPL 2024 ના એલિમિનેટરમાં હારી ગયું અને આ સાથે જ આ ટીમની સફરનો અંત આવ્યો. RCBની આ હાર બાદ વિરાટ કોહલીએ કહી મોટી વાત, તેણે કહ્યું કે તે આ સિઝનને હંમેશા યાદ રાખશે.

હું તેને આખી જીંદગી યાદ રાખીશ... RCBની હાર પછી વિરાટે પોતાની દિલની લાગણી વ્યક્ત કરી
Virat Kohli

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત 6 મેચ જીતીને IPL પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ એલિમિનેટરમાં હારથી તેમની સફર ખતમ થઈ ગઈ હતી. બેંગલુરુ રાજસ્થાન સામે 4 વિકેટે હારી ગયું અને આ સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. હાર બાદ RCBના દરેક ખેલાડી ખૂબ જ નિરાશ હતા અને વિરાટ કોહલીના ચહેરા પર પણ નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. પરંતુ તેમ છતાં વિરાટ કોહલી એમ કહેતો જોવા મળ્યો હતો કે તે આ IPL સિઝનને જીવનભર યાદ રાખશે.

હાર બાદ કોહલીએ શું કહ્યું?

કોહલીએ RCBની હાર બાદ પોતાના સાથી ખેલાડીઓ સાથેની ચેટમાં કહ્યું, ‘અમે મેદાન પર પોતાની જાતને વ્યક્ત કરવાનું શરૂ કર્યું, અમારા સન્માન માટે રમવાનું શરૂ કર્યું અને અમારો આત્મવિશ્વાસ પણ પાછો આવ્યો.’ આ વાત વિરાટ કોહલીને હંમેશા યાદ રહેશે. વિરાટે કહ્યું કે અમને આનો ગર્વ છે. વિરાટે કહ્યું કે અંતે આ ટીમ એ રીતે રમી જે રીતે તે રમવા માંગતો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડુ પ્લેસિસ ટુર્નામેન્ટ જીતવા માટે આશાવાદી હતો

RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે આટલા શાનદાર પુનરાગમન પછી, તે આવનારી વધુ વસ્તુઓની રાહ જોઈ રહ્યો હતો. ડુ પ્લેસિસે કહ્યું કે જ્યારે તમે કંઈક વિશેષ કરો છો, ત્યારે તમે તેનાથી પણ વધુ કંઈક કરવાની અપેક્ષા રાખો છો. જોકે, RCBના કોચ એન્ડી ફ્લાવરે સિઝનના અંત પછી એક મોટી વાત કહી. તેણે RCBની બોલિંગ નબળી હોવાનું સ્વીકાર્યું અને કહ્યું કે આવનારા સમયમાં ચિન્નાસ્વામી જેવા સ્ટેડિયમમાં સારી બોલિંગ કરવા માટે ખાસ બોલરોની જરૂર છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સિઝનમાં RCB કયા બોલર પર દાવ લગાવે છે?

આ પણ વાંચો : MS ધોની વિશે આવ્યા ખૂબ જ સારા સમાચાર, CSKના ચાહકો હારનું દુ:ખ ભૂલી ગયા!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:39 pm, Thu, 23 May 24

Next Article