Video: પાકિસ્તાની કેપ્ટનને જોઈ યંગ ફેન રડવા લાગ્યો, તેને ચૂપ કરવા જાણો બાબરે શું કર્યું?

|

Jun 12, 2024 | 7:08 PM

બાબર આઝમનો એક નાનો ચાહક તેને ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન મળ્યો હતો અને તેને જોતા જ રડવા લાગ્યો હતો. આ નાનો ચાહક તેને કેનેડા સામે મળવા આવ્યો હતો અને પછી તે જ રીતે રડવા લાગ્યો હતો. આ પછી બાબરે તેને ચૂપ કરવા કઈંક એવું કર્યું જેણે જોઈ આ બાળકની સાથે આસપાસ હાજર લોકો પણ ખુશ થઈ ગયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Video: પાકિસ્તાની કેપ્ટનને જોઈ યંગ ફેન રડવા લાગ્યો, તેને ચૂપ કરવા જાણો બાબરે શું કર્યું?
Babar Azam

Follow us on

અમેરિકા સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારત સાથેની મોટી મેચ માટે ન્યૂયોર્ક પહોંચી ગયો હતો. શરૂઆતની મેચમાં જ હાર્યા બાદ તેઓએ ભારતને હરાવવાનું વિચાર્યું હતું પરંતુ તેમ થઈ શક્યું નહીં. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બાબર મેચ તો ન જીતી શક્યો, પરંતુ તેણે તેના નાના ચાહકોનું દિલ જીતી લીધું હતું.

બાબરનો ફેન ખુશીથી રડવા લાગ્યો

ટીમ ઈન્ડિયા સામેની મેચ પહેલા રાષ્ટ્રગીત સમારંભ દરમિયાન તે એક બાળકને મળ્યો હતો. તે બાબરનો ફેન હતો અને તેના સ્ટાર ખેલાડીને જોઈને ખુશીથી રડવા લાગ્યો હતો. આ પછી બાબરે તેના નાના ફેન્સને ખુશ કરવા માટે તેને એક ખાસ ભેટ આપી છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

બાબરે બાળક માટે આ કામ કર્યું

પાકિસ્તાનની ટીમે 11 જૂને કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પછી ભારતીય બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને બાબર આઝમનો ઈન્ટરવ્યુ લીધો હતો. ICCના ડિજિટલ ઈન્સાઈડર શોમાં તેણે બાબર આઝમને બાળકની તસવીરને લઈને સવાલ પૂછ્યો હતો. આ દરમિયાન બાબરે જણાવ્યું હતું કે તે બાળકને 9 જૂને મળ્યો હતો, બાળક તેને જોઈને રડવા લાગ્યો હતો. આ પછી યંગ ફેન માટે કંઈક કરવાની યોજના બનાવી. મારા હાથમાં મોજા હતા અને બાળકને મોજા ભેટ આપ્યા અને તેના પર ઓટોગ્રાફ પણ આપ્યો.

બાબર આઝમની કેપ્ટન્સી છીનવાઈ શકે છે

બાબર આઝમની કેપ્ટનશીપ પર ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. 2023 ODI વર્લ્ડ કપ હાર્યા બાદ તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, માત્ર 2 મહિના પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ફરીથી કેપ્ટન બનાવ્યો. આ પછી તેના પર સતત સવાલો ઉઠી રહ્યા છે. પહેલા ન્યૂઝીલેન્ડની C ટીમ સાથે ઘરઆંગણે શ્રેણી ડ્રો થઈ હતી. આ પછી આયર્લેન્ડ પણ એક મેચ હારી ગયું, ત્યારબાદ ઈંગ્લેન્ડના હાથે સિરીઝ 0-2થી હારી ગઈ. હવે T20 વર્લ્ડ કપમાં 3માંથી 2 મેચ હાર્યા બાદ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. ટીમના આ ખરાબ પ્રદર્શન બાદ PCB અધ્યક્ષ મોહસિન નકવીએ પણ કહ્યું છે કે ટીમમાં મોટા ફેરફાર કરવા પડશે. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે બાબર આઝમને કેપ્ટન્સીથી હટાવી શકાય છે.

આ પણ વાંચો : T20 WC : શાહિદ આફ્રિદી હજી પણ જમાઈનું અપમાન ભૂલી શક્યો નથી, બાબર પર ઉઠાવ્યા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:07 pm, Wed, 12 June 24

Next Article