IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

|

Jun 22, 2024 | 5:56 PM

ટીમ ઈન્ડિયા 3 સ્પિનરોની રણનીતિ સાથે બાંગ્લાદેશ સામે પણ જઈ શકે છે. આના સંકેત ટીમના પ્રેક્ટિસ સેશનથી મળ્યા છે, જ્યાં ટીમ 3 પેસર નહીં પરંતુ 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, હવે જો આવું છે, તો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે
Rohit Sharma & Rinku Singh

Follow us on

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? શું સતત ચાર મેચની નિષ્ફળતા બાદ રોહિત-વિરાટ ફરી ઓપનિંગ કરશે? શું શિવમ દુબેને ફરી તક મળશે? આ તમામ સવાલો છે જે એન્ટીગુઆમાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઉભા છે.

11 ખેલાડીઓ નક્કી

એન્ટિગુઆમાં ટોસ સાથે આ તમામ પ્રશ્નોના જવાબો મળી જશે. પરંતુ, ટોસ અને મેચના એક દિવસ પહેલા જ આનો જવાબ મળી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો, બાંગ્લાદેશ સામે રોહિત શર્મા તેના કયા 11 ખેલાડીઓમાંથી મેદાનમાં ઉતારશે, તેમના નામ ફાઈનલ દેખાઈ રહ્યા છે.

મેચ પહેલા પ્લેઈંગ-11ની ઝલક

જોકે બાંગ્લાદેશ સામેની મેચની પ્લેઈંગ ઈલેવનને લઈને અત્યાર સુધી કોઈએ સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. પરંતુ, એન્ટિગુઆમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોયા બાદ પ્લેઈંગ ઈલેવનની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ હતી. હવે સવાલ એ છે કે એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં શું જોવા મળ્યું, જે ભારતની પ્લેઈંગ ઈલેવનને જાહેર કરે છે?

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

રોહિતે આપ્યા સંકેત

એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં, ભારતીય ટીમ ફરી એકવાર 3 સ્પિનરો સાથે રમશે, જે એક મોટો સંકેત છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આગામી મેચમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. જો આવું થાય તો બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ નહિવત છે. મતલબ, 3 સ્પિનરોથી સજ્જ એ જ ટીમ મેદાનમાં જોવા મળશે, જે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જોવા મળી હતી. બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ એન્ટીગુઆમાં 3 સ્પિનરો સાથે રમવાના સંકેત આપ્યા હતા.

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથેની પ્રેક્ટિસ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટીમ ઈન્ડિયાને વધારાના સીમરની જરૂર નથી. મતલબ, બાંગ્લાદેશ સામેની મેચમાં જે 11 ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે તે કંઈક આ રીતે હોઈ શકે છે.

બાંગ્લાદેશ સામે સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, શિવમ દુબે, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો: ‘જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી’, ગૌતમના ‘ગંભીર’ નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article