T20 World Cup 2024 : 25 ડોલરમાં ક્રિકેટરો સાથે ડિનર, અમેરિકા સામે હાર બાદ પાકિસ્તાને પાર્ટી રદ્દ કરી

|

Jun 07, 2024 | 5:42 PM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં જ ટીમના ખેલાડીઓ સાથે ચાહકો માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. આ માટે ચાહકો પાસેથી $25 વસૂલવામાં આવી રહ્યા હતા. બોર્ડની આ ડિનર પાર્ટીને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે અમેરિકા સામે હાર્યા બાદ PCBએ આ પ્રાઈવેટ ડિનર કેન્સલ કરી દીધું છે.

T20 World Cup 2024 : 25 ડોલરમાં ક્રિકેટરો સાથે ડિનર, અમેરિકા સામે હાર બાદ પાકિસ્તાને પાર્ટી રદ્દ કરી
Pakistan

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલું છે. જેના કારણે તે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. પાકિસ્તાની ક્રિકેટરોને ગમે કે ન ગમે, તેઓ કંઈ કરે કે બોલે કે તરત જ નવો વિવાદ શરૂ થઈ જાય છે. અમેરિકા વિરૂદ્ધ T20 વર્લ્ડ કપની મેચમાં કેટલાક ચાહકોએ પોસ્ટર દ્વારા આઝમ ખાનની સ્થૂળતાની મજાક ઉડાવી હતી. આ મેચમાં આઝમ ખાન અને એક પ્રશંસક વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદ થયો હતો.

25 ડોલરમાં ક્રિકેટરો સાથે ડિનરનું આયોજન

હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચાહકો માટે 25 ડોલરમાં પાકિસ્તાની ક્રિકેટરો સાથે ડિનરનું આયોજન કર્યું હતું, જેના પર ઘણો વિવાદ થયો હતો. હવે સમાચાર આવ્યા છે કે અમેરિકા સામેની શરમજનક હાર બાદ પીસીબીએ આ પ્રાઈવેટ ડિનર કેન્સલ કરી દીધું છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

ડિનર કેમ રદ્દ કરવામાં આવ્યું?

PCB પાકિસ્તાની ખેલાડીઓ સાથે ન્યૂયોર્કમાં ચાહકો માટે ખાનગી ડિનરનું આયોજન કરવા જઈ રહ્યું હતું. હવે એક પાકિસ્તાની પત્રકારે દાવો કર્યો છે કે આ ખાનગી ડિનર રદ્દ કરવામાં આવ્યું છે. ડિનર કેન્સલ થયા બાદ બોર્ડે ચાહકોના પૈસા પણ પરત કરવા પડશે. પાકિસ્તાની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે બાબર આઝમ અને અન્ય ખેલાડીઓ 9 જૂને ભારત સામેની મેચ રમવા ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અમેરિકા સામે હાર્યા બાદ ખેલાડીઓ ખૂબ જ દુઃખી અને નિરાશા છે. પ્રવાસ દરમિયાન પણ ખેલાડીઓ એકબીજા સાથે બહુ ઓછી વાત કરતા હતા. આ ડિનરને લઈને પહેલાથી જ ઘણો વિવાદ થયો હતો અને હવે ખેલાડીઓની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને બોર્ડે ડિનર કેન્સલ કરી દીધું છે.

હાર બાદ મૌન છવાઈ ગયું

પાકિસ્તાનના ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં સારી શરૂઆત કરવા માંગતા હતા અને સકારાત્મક માનસિકતા સાથે ટીમ ઈન્ડિયાનો સામનો કરવા ઈચ્છતા હતા. હવે શરૂઆતની મેચની હારથી તે ખરાબ રીતે તૂટી ગયો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની ખેલાડીઓ આ હારથી એટલા નિરાશ થઈ ગયા કે મેચ બાદ તેઓ ડ્રેસિંગ રૂમમાં લાંબા સમય સુધી માથું પકડીને બેસી રહ્યા. હોટલના રૂમમાં પણ મૌન હતું.

ટીમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ

ડિનરને લઈને પહેલાથી જ ઘણો વિવાદ થયો છે. રાશિદ લતીફ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેની ટીકા કરી છે. હવે હાર બાદ PCBએ વિવાદથી બચવા માટે નવી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PCBએ સમગ્ર ટીમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. બોર્ડનું કહેવું છે કે ખેલાડીઓએ ભારત સામેની મેચ સુધી સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ ન કરવું જોઈએ જેથી ચાહકોની પ્રતિક્રિયા આત્મવિશ્વાસને અસર ન કરે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : અમેરિકા સામે હાર બાદ પાકિસ્તાનનું બહાર થવું નિશ્ચિત, જાણો શું છે સમીકરણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article