T20 WC : અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ 250 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ કેમ તોડવામાં આવી રહ્યું છે?

|

Jun 13, 2024 | 5:53 PM

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 7 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની જીતના બીજા જ દિવસે કંઈક એવું થયું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ખરેખર, ન્યૂયોર્કમાં બનેલું આ સ્ટેડિયમ હવે તોડી પાડવામાં આવી રહ્યું છે. જાણો શું છે મામલો?

T20 WC : અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ 250 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ કેમ તોડવામાં આવી રહ્યું છે?
Nassau County International Cricket Stadium

Follow us on

T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાની આ જીત બાદ એક એવા સમાચાર સામે આવ્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હકીકતમાં, ન્યુયોર્કનું નાસાઉ સ્ટેડિયમ જ્યાં આ મેચ રમાઈ હતી તે હવે ગાયબ થઈ જશે. અરે, આશ્ચર્ય ન પામો, ખરેખર નાસાઉ સ્ટેડિયમને હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

નાસાઉ સ્ટેડિયમ કેમ હટાવવામાં આવી રહ્યું છે?

નાસાઉ સ્ટેડિયમ એ મોડ્યુલર સ્ટેડિયમ છે જે T20 વર્લ્ડ કપ મેચો માટે અસ્થાયી રૂપે બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 8 ગ્રુપ સ્ટેજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાન મેચ પણ સામેલ હતી. નાસાઉ સ્ટેડિયમ અસ્થાયી હોવાથી તેને હટાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમને હટાવવા માટે બુલડોઝર અને ક્રેન્સ પહોંચી ગયા છે. આ પિચને બનાવવામાં માત્ર 106 દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

નાસો ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતા શું હતી?

નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તે વિશ્વનું સૌથી મોટું મોડ્યુલર સ્ટેડિયમ હતું. તેમાં લગભગ 30 હજાર લોકો માટે બેઠક ક્ષમતા હતી. ઉપરાંત, આ સ્ટેડિયમ માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ ડ્રોપ-ઈન પિચ મંગાવવામાં આવી હતી. પરંતુ કમનસીબી એ છે કે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની આ પિચો પર બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી કુલ 8 મેચોમાં સૌથી વધુ સ્કોર માત્ર 137 રન હતો. જ્યારે આ સ્ટેડિયમમાં રનચેઝ કરતા સૌથી મોટો સ્કોર 110 રન હતો, જે ટીમ ઈન્ડિયાના નામે રહ્યો.

આ પણ વાંચો : T20 WC: વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જરૂરી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય સરળ નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article