
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલ થશે. પહેલા સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝિલેન્ડની ટીમે ફાઈનલ માટે ટિકિટ કન્ફર્મ કરી લીધી. આમ તો બીજા સેમિફાઈનલ દરમિયાન મુંબઈમાં વરસાદની સંભાવના સાવ નહિવત્ જ છે તેમછતા તો વરસાદ આવે છે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ગૃપ રાઉન્ડ અને સુપર-8 માટે રિઝર્વ ડે રખાયો ન હતા. પરંતુ સેમિફાઈનલમાં નિયમ અલગ હોય છે. 6 માર્ચ ને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ થવાની સ્થિતિમાં અમ્પાયર મેચ ખતમ કરવાને બદલે વધારાની 90 મિનિટનો સમય મળે છે. જો એટલામાં વરસાદ નથી અટકતો તો રિઝર્વ ડે પર ત્યાંથી જ મેચ શરૂ થશે જ્યાંથી પહેલા દિવસે અટકાવાઈ હતી. આ સાથે રિઝર્વ ડે પર મેચ ખતમ કરવા માટે વધારાની 120 મિનિટ પણ મળશે.
જો મેચના દિવસની સાથે જ રિઝર્વ ડે પર વરસાદ થતી રહી તો શું થશે? આ સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમને સેમિફાઈનલમાં સ્થાન મળી જશે અને ભારત બહાર થઈ જશે. આવુ એટલા માટે કારણ કે સુપર-8 રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ટેબલમાં ટોપ પર રહ્યુ હતુ. ભારતીય ટીમ બીજા સ્થાન પર હતી. સુપર-8માં વધુ સારી પોઝિશનને કારણે ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલ રદ થવાની સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ રમશશે.
T20 ઈન્ટરનેશલ મેચમાં પરિણામ માટે બંને ટીમોએ 5-5 ઓવર રમવી જરૂરી છે. જ્યારે સેમિફાઈનલમાં પ્લેઈંગ કન્ડીશન અલગ છે. આ મેચમાં બંને ટીમ 10-10 ઓવર રમે છે, ત્યારે જ મેચ કોઈ પરિણામ પર પહોંચે છે.
આ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે વાનખેડે સ્ટેડિયમ પર 2 મેચ રમી છે. ટીમને નેપાળ વિરુદ્ધ અંતિમ બોલમાં જીત મળી હતી. તો વેસ્ટ ઈન્ડીંઝ સામે હારી હતી. આ તરફ અમેરિકાને હરાવવામાં ટીમ ઈન્ડિયાને પરસેવો છૂટી ગયો હતો.
Published On - 3:59 pm, Thu, 5 March 26