
ટી20 વર્લ્ડકપ 2024ની 25મી મેચ અમેરિકા અને ભારતની ટીમ વચ્ચે રમાઈ હતી. બંન્ને ટીમ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને હતી. આ મેચમાં આઈસીસીના એક નિયમને લઈ અમેરિકાની ટીમને મોટું નુકસાન થયું છે. તો અમેરિકાની ટીમની ભૂલને કારણે ભારતીય ટીમને ફાયદો થયો છે.ટીમ ઈન્ડિયાએ 12 જૂન, બુધવારના રોજ નાસાઉ કાઉન્ટીમાં ગ્રુપ Aની ત્રીજી મેચમાં યજમાન અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાની ઈનિગ્સની 15મી ઓવર બાદ અમ્પાયરે અમેરિકાની ટીમ પર 5 રનની પેનલટી લગાવી હતી. અમેરિકાની ટીમ વિરુદ્ધ આ નિર્ણય સ્ટોપ ક્લોક નિયમ હેઠળ લગાવવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ જો બોલિંગ કરનારી ટીમ છેલ્લી ઓવરમાં 60 સેકન્ડની અંદર ઓવર નાંખવા તૈયાર થઈ ન હતી, આ ઈનિગ્સમાં ત્રીજી વખત આવું થતા 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમ્પાયરે યુએસએની ટીમને પણ બે વખત વોર્નિંગ આપી હતી અને ત્યારબાદ આ એક્શન લીધું હતુ.
ભારતને જીતવા માટે માત્ર 30 રનની જરુર હતી. તેમણે 30 બોલમાં બનાવવાના હતા. ભારતીય ટીમે 10 બોલ બાકી રહેતા 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. એટલે કે, અમેરિકાની ટીમે પણ જીત માટે સારી એવી મહેનત કરી હતી અંતે પેનલ્ટીના 5 રન તેના માટે હારનું કારણ બન્યા હતા.
સ્ટોપ ક્લોકના નિયમ હેઠળ બેટિંગ કરનારી ટીમને ફાયદો થાય છે. જો કોઈ ટીમ છેલ્લી ઓવર પુરી થયા પછી આગલી ઓવર નાખવામાં બે વખત વધુ 60 સેકન્ડ લે છે, તો બેટિંગ કરનાર ટીમને 5 રન આપવામાં આવે છે, આપણે જોયું છે અનેક વખત કે, મેચ જીતવા માટે 1 રન પણ જરુરી હોય છે. ત્યારે આ 5 રન બેટિંગ કરનારી ટીમ માટે ખુબ ઓછા આવે છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 35 રનની જરુર હતી. ત્યારે તેમને આ 5 રન આપ્યા હતા. જે છેલ્લા સમયે ટીમ ઈન્ડિયા માટે ખુબ કામ આવ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2024માં માત્ર 2 ટીમો સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં પહેલા ઓસ્ટ્રેલિયાએ સ્થાન મેળવ્યું હતું અને પછી ટીમ ઈન્ડિયા પણ પહોંચી હતી. યોગાનુયોગ, આ બંને ટીમો સુપર-8 રાઉન્ડમાં એક જ ગ્રુપમાં છે અને એકબીજા સાથે ટકરાશે.
આ પણ વાંચો : IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ
Published On - 11:19 am, Thu, 13 June 24