
ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વચ્ચે ભારતમાં ફસાયેલી ટીમોની વાપસીને લઈ એક વિવાદ સામે આવ્યો છે. મિડિલ ઈર્સ્ટમાં તણાવ છે. જેના કારણે એરસ્પેસ બંધ હોવાને કારણે કેટલીક ટીમોને ઘરે જવામાં મોડ઼ું થઈ રહ્યું છે. આ કારણે સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડીકોકે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પર નારાજગી વ્યક્ત કરી છે.
મિડિલ ઈર્સ્ટની ખરાબ હાલત વચ્ચે કેટલીક ટીમો પર અસર પડી છે. તેને મેચ પૂર્ણ થયાં બાદ પર ભારતમાં રહેવાનો વારો આવ્યો છે. વેસ્ટઈન્ડિઝની ટીમ સુપર 8માં ભારત સામે હારી 1 માર્ચના રોજ બહાર થઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 4 માર્ચના રોજ હારી બહાર થઈ હતી. ઈંગ્લેન્ડ બીજી સેમિફાઈનલમાં ભારતને હરાવી 6 માર્ચના રોજ બહાર થઈ હતી પરંતુ આઈસીસીએ ઈંગ્લેન્ડને પહેલા ઘરે મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ધમાલ મચી હતી. ક્વિંટન ડીકોકે આઈસીસીના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.
ડીકોકે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કહ્યું આઈસીસી અમને તો કાંઈ ખબર ન પડી, ઈંગ્લેન્ડ અમારી પહેલા ઘરે કેમ જઈ રહી છે. વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની તો કાંઈ ખબર જ નથી. રસપ્રદ વાત છે કે,કેટલીક ટીમનો પ્રભાવ બીજી ટીમથી વધારે હોય છે. આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ પ્રવાસની સ્થિતિને લઈ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે, અન્ય ટીમ લાંબા સમયથી ફસાયેલી હોવા છતાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા કેમ જઈ રહી છે. તેને કઈ રીતે પરવાનગી મળી. તેમનું કહેવું છે કે, તમામ ટીમ સાથે એક સમાન વ્યવ્હાર કરવો જોઈએ. આઈસીસીમાં વધારે તાકતવર હોવાનો ફાયદો મળવો જોઈએ નહી. વેસ્ટઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ પહેલા પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ. કે, તેઓ ઘરે જવા માંગે છે.
રિપોર્ટ મુજબ આઈસીસીએ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. ઈંગ્લેન્ડની ટીમ શનિવારના રોજ મુંબઈથી સીધી લંડન માટે રવાના થશે. તો સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝની ટીમ રવિવારના રોજ કોલકત્તાથી જોહન્સબર્ગ જવા રવાના થશે. ત્યાંથી વેસ્ટઈન્ડિઝ એન્ટીગુઆકે માટે જશે પરંતુ આ બંન્ને ટીમોને હજુ ચોક્કસ સમયની પુષ્ટિ મળી નથી.