Suresh Raina : સુરેશ રૈના (Suresh Raina)એ મંગળવારના રોજ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમય રૈના માટે સારો રહ્યો નથી તેનું નામ વિવાદમાં પણ સામે આવ્યું છે. 15 ઓગસ્ટ 2020ના રોજ એમએસ ધોનીની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ (International Cricket)માંથી સંન્યાસ લીધા બાદ તેનો કરિયર ગ્રાફ નીચે જઈ રહ્યો હતો. યુએઈમાં આઈપીએલ દરમિયાન બાલ્કની વાળા રુમથી લઈ ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે વિવાદ સામે આવ્યો હતો. ત્યારબાદ સીએસકેની સાથે તેનો સંબંધ બગડતો ગયો.
રૈનાના કરિયરમાં તેના રેકોર્ડની સાથે 3 મોટા વિવાદો પણ જોડાયેલા છે. તે પછી રવિન્દ્ર જાડેજાની સાથે મેદાન પર લડાઈ હોઈ કે, પોતાની જાતિ પર આપેલું નિવેદન હોય. ગત્ત વર્ષે રૈના પોતાના નિવેદનના કારણે વિવાદમાં ફસાય ગયો હતો. તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન કોમેન્ટ્રીમાં તેણે ચેન્નઈની સાથે કનેક્શન વિશે પુછવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. 2004થી ચેન્નાઈની સાથે રમી રહ્યો છું અને સંસ્કૃતિ સાથે પ્રેમ છે. આ નિવેદનથી રૈના ફસાય ગયો હતો.
કોવિડના કારણે આઈપીએલ 2020ના બીજા તબક્કો યુએઈમાં રમવામાં આવ્યો હતો. ટીમ યુએઈ પણ પહોંચી ગઈ હતી. 29 ઓગસ્ટના ફ્રેન્ચાઈઝીનું એલાન કર્યું કે, અંગત કારણોથી તે ભારત ફરી રહ્યો છે. ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા કે, રૈના યુએઈની હોટલમાં બાલ્કની વાળો રુમ ઈચ્છતો હતો. જેને લઈ એમએસ ધોનીની સાથે તેનો સંબંધ બગડી ગયો હતો. ત્યારબાદ મેં રૈનાએ સ્પષ્ટ કર્યું કે, આ વાત બકવાસ છે અને સ્પષ્ટતા આપી હતી કે તેને પરિવારને તેની જરુર છે.
રૈનાના કરિયરમાં એક વિવાદ રવિન્દ્ર જાડેજાને લઈને પણ છે. જ્યારે લાઈવ મેચમાં બંન્નની ટક્કર થઈ હતી. તેણે ભારતીય ઓલરાઉન્ડરની ગરદન પકડી લીધી હતી. આ વાત 2013ની છે. જ્યારે રૈનાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર યજમાન ટીમ સામેની ODI મેચમાં જાડેજાના બોલ પર કેચ છોડ્યો હતો. ભુવનેશ્વર કુમાર આ કેચ સરળતાથી પકડી શક્યો હોત, પરંતુ રૈનાએ તેને હટાવી દીધો હતો. ગત મેગા ઓક્શન દરમિયાન કોઈ પણ ટીમે તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહોતો. આમ તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર જોવા મળી રહ્યો છે.