AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી

Sunrisers Hyderabad vs Lucknow Super Giants IPL Match Result: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 182 રનનોંધાવ્યા હતા, કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી.

SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી
SRH vs LSG IPL Match Result
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 7:28 PM
Share

IPL 2023 ની 58મી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હોમગ્રાઉન્ડ પર રમતા સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદે 6 વિકેટના નુક્શાન પર 182 રનનો સ્કોર ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પડકારજનક સ્કોર લખનૌ સામે ખડકીને હૈદરાબાદના બોલર્સે લક્ષ્ય બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લખનૌને નિકોલસ પૂરને અંતમાં તોફાની રમત વડે જીત અપાવી હતી. એક સમયે મેચમાં હૈદરાબાદે પોતાનુ પલડું ભારે કરી લીધુ હતુ. પરંતુ પૂરને તોફાની રમત વડે લક્ષ્ય પાર કરી લીધુ હતુ. પ્રેરક માંકડે અડધી સદી નોંધાવી હતી.

હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન ક્લાસેને નોંધાવ્યા હતા તેણે 29 બોલમાં જ 47 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સુકાની એડન માર્કરમે 20 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. અંતમાં અબ્દુલ સમદે 4 છગ્ગા વડે 25 બોલનો સામનો કરીને 37 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનૌનુ સુકાન સંભાળતા કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી

પ્રેરક માંકડની અડધી સદી

શરુઆત લખનૌની સારી રહી નહોતી. લખનૌની ઓપનિંગ જોડી માત્ર 12 રનમાં જ તૂટી ગઈ હતી. કાઈલ માયર્સના રુપમાં લખનૌએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી ઓવરમાં ઓપનર માયર્સ માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. માયર્સે 2 રન માટે 14 બોલનો સામનો કર્યો હતો. બીજી વિકેટના રુપમાં ઓપનર ક્વિન્ટન ડિકોક આઉટ થયો હતો. ટીમનો સ્કોર 9મી ઓવરમાં 54 રન પર હતો, ત્યારે જ ડિકોક મંયક માર્કંડેયનો શિકાર થયો હતો. 19 બોલમાં જ મયંકે 29 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

પ્રેરક માંકડે શાનદાર અડધી સદી નોંધાવી હતી. પ્રેરક માંકડે 35 બોલનો સામનો કરીને અડધી સદી નોંધાવી હતી. 45 બોલમાં 64 રન 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ નોંધાવ્યા હતા. અંતમાં મુશ્કેલ સમયે નિકોલસ પૂરને મેદાનમાં જ ઉતરતા જ સળંગ 3 છગ્ગા વડે તોફાની રમત વડે ટીમને જીત સુધી પહોંચાડી હતી. પૂરને 4 છગ્ગાની મદદ વડે 13 બોલમાં 44 રન નોંધાવ્યા હતા. માંકડ અને માર્ક્સ સ્ટોઈનિસે ટીમને લક્ષ્ય તરફ આગળ વધારવાનો ભાગીદારી રમત વડે પ્રયાસ કર્યો હતો. સ્ટોઈનીસે 25 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને ક્રિઝ પર આવતા જ છગ્ગાવાળી કરી હતી. પૂરને સળંગ 3 છગ્ગા જમાવ્યા હતા. આ ઓવરમાં છ છગ્ગાનો માર અભિષેક શર્માએ સહન કર્યો હતો.. જોકે તેણે સ્ટોઈનીસની વિકેટ આ ઓવરમાં ઝડપી હતી.

આ પણ વાંચોઃ Suryakumar Yadav, IPL 2023: સૂર્યાએ ગુજરાત સામે એજ કરી દીધુ જે ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે કર્યુ, ચારેય સદીમાં એક જ કહાની!

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">