IPL Final 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા, જુઓ Video

|

May 31, 2023 | 12:01 PM

IPLની 16મી સિઝનની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને 5મી વખત ટાઈટલ જીત્યું હતું.ફાઈનલ મેચ વરસાદના કારણે આ વખતે રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી.

IPL Final 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા, જુઓ Video

Follow us on

આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલ પર મેચ જીતવા માટે 10 રનની જરુર હતી. આ ટાર્ગેટ પૂર્ણ કરતા જ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. ટ્રોફી જીત્યા બાદ ચેન્નાઈની ટીમ 30 મેના રોજ ચેન્નાઈના ત્યાગરાય નગર સ્થિત તિરુમલા દેવસ્થાનમ મંદિરમાં ટ્રોફીની વિશેષ પુજા પણ કરવામાં આવી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સ 30 મેના રોજ ખિતાબ જીતી ચેન્નાઈ એરપોર્ટ પર ટ્રોફી સાથે પહોંચી ત્યારબાદ ટ્રોફી મંદિર લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈની ટીમનો કોઈ પણ ખેલાડી ત્યાં હાજર ન હતો, ટ્રોફીની પુજાનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિશેષ પુજામાં બીસીસીઆઈ અધ્યક્ષ અને એન શ્રીનિવાસન આ વિશેષ પુજામાં સામેલ થયા હતા.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આ પણ વાંચો : Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

 

 

 

2 વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી વર્ષ 2018માં આઈપીએલમાં પરત ફરી અને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ જ્યારે પણ ખિતાબ જીતી તો પ્રસિદ્ધ ત્યાગરાય નગરમાં સ્ખિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર ટ્રોફીને લાવવાની પરંપરા ચાલું રાખી છે. વરસાદના કારણે ફાઈનલ મેચ આ વખતે રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી. આ જીતને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના માલિક એન. શ્રીનિવાસન ચમત્કાર કહ્યો હતો.

આ પણ વાંચો : WTC Final 2023: વિરાટ કોહલી ખૂબ કરી રહ્યો છે પરિશ્રમ, કાંગારુ ખેલાડી બોલ્યો-આનાથી શિખવુ જોઈએ

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સાથે બરાબરી કરી

આઈપીએલ ટ્રોફી જીતવા મામલે ચેન્નાઈ સુપર કિંગ્સે હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. બંન્ને ટીમોના નામે હવે 5-5 ખિતાબ જીતવાનો રેકોર્ડ થઈ ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રેઝ આ વખતે દરેક શહેર ગલીઓમાં જોવા મળ્યો હતો. જે પણ સ્ટેડિયમમાં ટીમ રમવા પહોંચી હતી ત્યાં તેમને ચાહકોનું ખુબ જ સમર્થન મળતું હતુ.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article