સૌરવ ગાંગુલીએ સમજવું જોઈએ કે ભારતીય ક્રિકેટને પોતાના કરતાં વિરાટ કોહલીની વધુ જરૂર છે

|

Jan 23, 2022 | 6:40 PM

આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલો બહાર આવ્યા હતા કે, ગાંગુલીએ મીડિયા સમક્ષ બોલવા બદલ વિરાટ કોહલીને (Virat Kohli) કારણ બતાવો નોટિસ (Show Cause Notice) આપવાનું વિચાર્યું હતું

સૌરવ ગાંગુલીએ સમજવું જોઈએ કે ભારતીય ક્રિકેટને પોતાના કરતાં વિરાટ કોહલીની વધુ જરૂર છે
Virat Kohli Sourav Ganguly dispute (Representational Pic)

Follow us on

તેના ગૌરવશાળી દિવસોમાં, સૌરવ ગાંગુલી(Sourav Ganguly)ને રમતા જોવાની ભારતીય ક્રિકેટ(Indian Cricket) ચાહકો માટે અલગ જ મજા હતી. તેમના નેતૃત્વના ગુણોના લીધે તે સાથી ખેલાડીઓનો પ્રિય હતો. તેણે ટીમમાં જીતવાની આદત કેળવી અને સ્વેગ સાથે વિરોધીઓ સામે ઊભા રહેવાનું શીખવ્યું છે. ક્રિકેટની બે પેઢીઓ પછી આ રીતે મોટાભાગના ભારતીયો હજુ પણ સૌરવ ગાંગુલીને યાદ કરે છે, કેપ્ટન જેણે ભારતીય ક્રિકેટ માટે સખત મહેનત કરી હતી. પરંતુ કેટલીકવાર ભૂતકાળ વર્તમાન પર બોજ બની શકે છે, ખાસ કરીને જ્યારે તમે તેને વળગી રહો છો. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ, ગાંગુલી એક ખેલાડી તરીકેની પોતાની ભૂતકાળની છબી સાથે ફસાયો છે. ગાંગુલી કદાચ એ જોવામાં નિષ્ફળ જાય છે કે એક ખેલાડી તરીકે તેની લોકપ્રિયતા તેની વર્તમાન દિવસની એડમિનિસ્ટ્રેટર તરીકેની ભૂમિકામાં સ્થાનાંતરિત થઈ શકતી નથી.

આજે તે એક એસ્ટાબ્લિશમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને સંસ્થાઓ ભાગ્યે જ લોકપ્રિય હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ આપણા સૌથી મોટા અને શ્રેષ્ઠ ખેલાડીને અપમાનિત કરવામાં લાગી જાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલો બહાર આવ્યા હતા કે, ગાંગુલીએ મીડિયા સમક્ષ બોલવા બદલ વિરાટ કોહલીને(Virat Kohli) કારણ બતાવો નોટિસ(Show Cause Notice) જાહેર કરવાનું વિચાર્યું હતું. પૂછવામાં આવ્યું ત્યારે ગાંગુલીએ નકારી કાઢ્યું કે, તેણે એવું કંઈપણ વિચાર્યું હતું.  ગાંગુલીને હવે BCCI પ્રમુખ તરીકે જે બતાવવાની જરૂર છે તે પરિપક્વતા છે, કોહલીને કારણ બતાવો નોટિસ નહીં. તેમનો ઇનકાર હોવા છતાં, ગાંગુલીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોહલીને નબળા પાડવા માટે ઘણું કર્યું છે.

જ્યારે ભારત માટે શ્રેષ્ઠ કપ્તાનમાંથી એક BCCIના પ્રમુખ બને છે, ત્યારે કોઈ એવી અપેક્ષા રાખે છે કે તે સંવેદનશીલ હશે, ગાંગુલીએ પોતે ગ્રેગ ચેપલ(Greg Chappell) સાથેની અણગમતી બોલાચાલી બાદ શીખ્યો હશે. પરંતુ ગાંગુલી કોહલી સાથેના વ્યવહારમાં સંવેદનશીલ રહ્યો નથી. તેમા મૌખિક દ્વંદ્વયુદ્ધ અને પડદા પાછળના કાવતરામાં સામેલ છે. એક પખવાડિયા પહેલા જે દક્ષિણ આફ્રિકાનો ઐતિહાસિક પ્રવાસ બનવાનો હતો તે ભારત માટે આપત્તિ બની ગયો છે. પ્રવાસને ઇતિહાસ લખવાની તક તરીકે સૂચવવામાં આવી હોવા છતાં, તે એક આફત બની. ટીમમાં ટ્રાંજીશન માટે બોર્ડનું નબળું સંચાલન એ પરાજયનું સૌથી મોટું કારણ છે. મેદાનની બહાર, ભારત ભાગ્યે જ એક ટીમ જેવી લાગતી હતી, તેથી કલ્પના કરો કે ડ્રેસિંગ રૂમમાં કેટલી ગોપનીયતા હશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પ્રવાસની શરૂઆત ગાંગુલી અને કોહલી વચ્ચે શાબ્દિક ટપાટપીથી થઈ હતી. જે બાદ વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટા નામ કહી શકાય તેવા કોહલીને સુકાની પદ પરથી હટાવાયો, એટલું જ નહીં પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાના ભારતના સપનાને પાટા પરથી ઉતારવામાં પણ હાથ ભજવ્યો.

ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ ગાંગુલી પર ગેરસમજની સાંકળ બનાવવા બદલ આકરા પ્રહારો કર્યા છે જેના કારણે મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા શાબ્દિક ટપાટપી થઈ હતી.”આ સમગ્ર બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે ક્રિકેટ બોર્ડ દ્વારા તેને વધુ પ્રોફેશનલ રીતે હેન્ડલ કરવું જોઈતું હતું. વાત એ છે કે ગાંગુલી પાસે પસંદગી સમિતિ વતી બોલવાની કોઈ જરૂર ન હતી. ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ છે. કેપ્ટનશીપ અથવા કોઈપણ બીજા મુદ્દા વિશે પસંદગી સમિતિના અધ્યક્ષે બોલવું જોઈએ”, વેંગસરકરે ખલીજ ટાઇમ્સને કહ્યું.

ભારતીય મીડિયામાં એવું ષડયંત્ર સર્જાયું હતું કે, નવા મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ અઘરા પ્રશ્નોથી બચી શક્યા ન હતા. કોહલી અને ગાંગુલી ગાથા ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત સેન્ચુરિયનમાં ઐતિહાસિક જીત પછી સમાચારોમાં રહી હતી.

સેન્ચ્યુરિયનના ઉચ્ચ પ્રદર્શનના થોડા દિવસો પછી, બીસીસીઆઈએ પસંદગીકારોના અધ્યક્ષ ચેતન શર્માને આગળ કર્યા કારણ કે, તેમણે ગાંગુલીના દાવાને સમર્થન આપતા કહ્યું કે, બોર્ડના દરેક વ્યક્તિએ કોહલીને T20 કેપ્ટનશીપ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે, બોર્ડ મર્યાદિત ઓવરના કેપ્ટન માટે એક કેપ્ટન ઈચ્છે છે અને તેથી કોહલીને ODI કેપ્ટનશીપમાંથી દૂર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ત્યારબાદ ભારતે એક પણ મેચ જીતી નથી. બંને ટેસ્ટ અને બે ODI હારી છે.

ટેસ્ટ કેપ્ટન કોહલીને શ્રેણીની છેલ્લી ટેસ્ટ સુધી મેચ પહેલા અને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવાથી રોકવામાં આવ્યો હતો અને દ્રવિડને ફરીથી તે દૃશ્ય સમજાવવું પડ્યું કે બેટિંગ આઇકોનને તેની 100મી ટેસ્ટ માટે રોકી રાખવામાં આવ્યો હતો. એવું પૂછવામાં આવ્યું કે શું વિરાટ કોહલી પ્રેસ સાથે વાત કરવાનું ટાળી રહ્યો છે, ખાસ કરીને ડિસેમ્બરમાં મર્યાદિત-ઓવરની કેપ્ટનશીપ અંગેની તેમની ટિપ્પણીઓને લગતા વિવાદો વચ્ચે, દ્રવિડે મીડિયા સાથેની પ્રી-મેચ પ્રતિક્રિયાઓમાંથી સુકાનીની ગેરહાજરી નકારી કાઢી.

“મને કહેવામાં આવ્યું હતું કે, વિરાટને હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાંથી દૂર રાખવામાં આવ્યો છે કારણ કે તેની કેપટાઉનમાં તેની 100મી ટેસ્ટ આવી રહી છે. જો તે પ્રેસને સંબોધશે તો તે એક મોટી ઘટના બની શકે છે. પત્રકારો તેને તેની 100મી ટેસ્ટ વિશે પ્રશ્નો પૂછી શકે છે. જ્યાં સુધી હું જાણું છું, તેનું અહીં ન હોવાનું બીજું કોઈ કારણ નથી.” ભારત ટેસ્ટ શ્રેણી 2-1થી હારી ગયું અને ઐતિહાસિક તક ગુમાવી દીધી હતી. કોહલીના પ્રશંસકોએ ફરિયાદ કરી હતી કે, મેદાન પર તેમની આક્રમકતા અને ઉત્સાહ ગાયબ છે.

એવા સમયે જ્યારે ભારતીય ક્રિકેટને વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ઘરઆંગણે મહત્વની શ્રેણીઓ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે,બીસીસીઆઈ પ્રમુખ કોહલીને તેની સનસનાટીભરી પ્રેસ કોન્ફરન્સ માટે કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરવા માગે છે તેવા અહેવાલ બાદ ફરી એકવાર કેન્દ્રમાં આવી ગયા.

તારીખ: 16 સપ્ટેમ્બર, 2021: T20 વર્લ્ડ કપના બરાબર પહેલા, કોહલીએ ચેમ્પિયનશિપ પછી ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી.કહેવામાં આવ્યું કે, તે વનડે અને ટેસ્ટમાં સુકાની બનવાનું ચાલુ રાખવા માંગશે

તારીખ: 8 ડિસેમ્બર, 2021: કોહલીને ODI માટે કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યો

તારીખ: 15 જાન્યુઆરી, 2022: કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું

માત્ર ત્રણ મહિનામાં કોહલી પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે, પરંતુ તેણે ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી છે,કોહલીને કદાચ લાગ્યું કે આ કોઈ સામાન્ય સમય નથી અને તેણે પોતાની જાતનું વધારે અપમાન થવાને બદલે પોતાની ટેસ્ટ કેપ્ટનશિપનો અકાળે અંત લાવવાનું નક્કી કર્યું.

બેકરૂમ પોલિટિક્સ વિશે જાણવા માટે ભારતીય ક્રિકેટમાં ગાંગુલીથી સારો કોઈ વ્યક્તિ નથી. ગ્રેગ ચેપલ સાથે ગાંગુલીનો વિવાદ હજી પણ દરેકના મગજમાં તાજો છે. ચેપલ ગાથા અને તેની કારકિર્દી ઝડપથી સમાપ્ત થઈ ગયા બાદ ગાંગુલી માટે, ચેપલ ગાથાને ભૂલી જવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કોહલી સાથે ચેપલ દ્વારા કરાયેલું વર્તન ન કરે. શક્ય છે કે, ગાંગુલી સાચો હોય અને કોહલી ખોટો હોય. પરંતુ ભારતીય ક્રિકેટના અનુભવી સદસ્ય હોવાને કારણે અને કોહલી ટીમ માટે કેટલો અમૂલ્ય છે તે જાણીને – ગાંગુલી માટે હવે વસ્તુઓને એવી રીતે હેન્ડલ કરવી જોઈએ કે પરિસ્થિતિ વધારે ના બગડે.

નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળ હેઠળ ICC ટ્રોફીને લક્ષ્ય બનાવતા ભારતીય ક્રિકેટ નિર્ણાયક તબક્કે પ્રવેશે છે. ટીમ કેપ્ટન કોહલીથી આગળ વધવા છતાં, મેન ઇન બ્લુને ICC ટ્રોફી જીતવાનું સપનું સાકાર કરવા માટે કોહલીના ઉચ્ચ ફોર્મની જરૂર પડશે. સમગ્ર ઇકોસિસ્ટમની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તેઓ કોહલીને પોતાના પડછાયામાંથી બહાર આવવામાં મદદ કરે કારણ કે ભારતની બેટિંગનું નેતૃત્વ માત્ર તે જ કરી શકે. તે ઇકોસિસ્ટમ પર પ્રભુત્વ ગાંગુલીનું છે, તેથી તેણે હવે પહેલું પગલું ભરવાની જરૂર છે અને કોહલી સાથેની વાતોને દફનાવવાની જરૂર છે.

ભલે તે કેપ્ટન હોય કે ખેલાડી, કોહલી હંમેશા ટીમ કરતા મોટો રહેશે. તેની બાકીની કારકિર્દી માટે માત્ર એક બેટર તરીકેની તેની સફળતામાં જ ભારત માટે સફળતા છે કારણ કે સચ્ચાઈ એ છે કે, ભારતીય ક્રિકેટને ગાંગુલી કરતાં કોહલીની વધુ જરૂર છે.

આ પણ વાંચો:

Mohammad Rizwan ICC T20 પ્લેયર ઓફ ધ યર બન્યો, ભારત સામે કર્યું હતુ ધમાકેદાર પ્રદર્શન

આ પણ વાંચો:

IPL 2022 Mega Auction: મેગા ઓક્શન માટે 19 દેશોના 1214 ખેલાડીઓ નોમિનેટ, જાણો કયા દેશના કેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

Next Article