19 જુલાઈએ લોર્ડ્સમાં રોહિત શર્મા રમી શકે છે છેલ્લી મેચ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આવી રહ્યો છે અંત?

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે.

19 જુલાઈએ લોર્ડ્સમાં રોહિત શર્મા રમી શકે છે છેલ્લી મેચ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આવી રહ્યો છે અંત?
Rohit Sharma
Image Credit source: AI Generated
| Updated on: Jul 17, 2026 | 8:10 AM

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે. સૂત્રો અનુસાર, પસંદગીકારો અને ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા રોહિત શર્માને જાણ કરવામાં આવી છે કે તેઓ તેને આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં તક નહીં આપે. જેના કારણે લોર્ડ્સ વનડે તેની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે, અચાનક એવું શું થયું છે કે આવા દિગ્ગજ ખેલાડીને 2027ના વર્લ્ડ કપ માટે લાયક માનવામાં આવતો નથી? રોહિત શર્માની કારકિર્દી અચાનક કેવી રીતે સમાપ્ત થઈ રહી છે?

રોહિતની નિવૃત્તિનું પહેલું મુખ્ય કારણ

રોહિત શર્માની નિવૃત્તિનું સૌથી મોટું કારણ તેની ફિટનેસ છે. રોહિત શર્માએ ગયા વર્ષે વજન ઘટાડ્યું છે. પરંતુ આ અનુભવી ખેલાડી હજુ પણ ઈજાગ્રસ્ત છે. રોહિત શર્માને IPL 2026 દરમિયાન ઈજા થઈ હતી. તેને ફરી એકવાર હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે IPLમાં મોટાભાગે મેચ રમ્યો નહીં. અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ અંગે પણ ચિંતા હતી, પરંતુ તે રમવાનું ચાલુ રાખ્યું.

રોહિતની નિવૃત્તિનું બીજું મોટું કારણ

બીજું મોટું કારણ તેનું હાલનું ફોર્મ છે. વર્ષ 2026માં રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં નિષ્ફળ ગયો. પહેલાં પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. આ વર્ષે તે 8 ઇનિંગ્સમાં માત્ર 241 રન બનાવ્યા છે. જેમાં તેની સરેરાશ 30.12 રહી છે. તેમ સ્ટ્રાઈક રેટ પણ સતત ઘટી રહ્યો છે. જ્યારે તે ભારતીય ટીમનો કેપ્ટન હતો ત્યારે પાવરપ્લેમાં 120થી વધુના સ્ટ્રાઈક રેટે રન બનાવતો હતો. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કેપ્ટનશિપ છોડ્યા પછી તેનો સ્ટ્રાઈક રેટ 90થી પણ નીચે પહોંચી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રોહિતની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ

રોહિત શર્માની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ એ છે કે ટીમ ઇન્ડિયા પાસે મજબૂત વિકલ્પો છે. ભારતીય ટીમ પાસે ઓપનર યશસ્વી જયસ્વાલ છે. જેણે છ ODI માં બે સદી ફટકારી છે. ODIમાં તેની સરેરાશ 70થી વધુની છે. આ વર્ષે ODI ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશન 45થી વધુની સરેરાશથી 1092 રન બનાવી ચૂક્યો છે. તેની પાસે ODIમાં એક બેવડી સદી પણ છે. મહત્વનું છે કે, તે વિકેટકીપર પણ છે અને સાઉથ આફ્રિકામાં યોજાનારા વર્લ્ડ કપમાં નિયમિત કીપર તરીકે રમી શકે છે.

આ પણ વાંચો, Breaking News: વિરાટ કોહલીએ તોડ્યો 2645 રનનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડની ધરતી પર રચ્યો નવો ઇતિહાસ; રિકી પોન્ટિંગને પણ પછાડ્યો 

Follow Us
Loading...
Unable to load recommendations.