ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ-2022 (T20 World Cup 2022) ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ અત્યંત રોમાંચક મેચમાં દરેકના શ્વાસ અટકી ગયા હતા. જ્યારે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર દિનેશ કાર્તિક (Dinesh Karthik) આઉટ થયો હતો અને ભારતને બે બોલમાં બે રનની જરૂર હતી, ત્યારે આ મેચ કોઈપણ રીતે આગળ વધી શકી હોત અને બીજા છેડે ઉભેલા વિરાટ કોહલી (Virat Kohli) ની શાનદાર ઇનિંગ્સને બરબાદ કરી શકી હોત. પરંતુ રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) આવુ ન થવા દીધું.
અશ્વિને પોતાની સમજણ બતાવી અને ટીમ ઈન્ડિયા માટે વિજયી રન બનાવ્યા અને આખા દેશને ખૂશીઓથી ઝૂમવાનો મોકો આપ્યો હતો. અશ્વિને પહેલો બોલ રમ્યો જે લેગ સ્ટમ્પ પર હતો. અશ્વિને મોહમ્મદ નવાઝના આ બોલને સમજીને તેને છોડી દીધો, આ બોલ વાઈડ ગયો. પછીના બોલ પર અશ્વિને મિડ-ઓફ પર બોલ લઈ ચાર રન ફટકાર્યા અને ભારતને જીત અપાવી. હવે અશ્વિને જણાવ્યું છે કે કાર્તિકના આઉટ થયા બાદ તેના મગજમાં શું ચાલી રહ્યું હતું.
અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું છે કે જ્યારે કાર્તિક આઉટ થયો અને અશ્વિનને મેદાનમાં આવવું પડ્યું ત્યારે તેને કાર્તિક પર ગુસ્સો આવ્યો કે તેના કારણે તે આ નાજુક પરિસ્થિતિમાં બેટિંગ કરવા જઈ રહ્યો છે. અશ્વિને કહ્યું, હું બેટિંગ કરવા ગયો કે તરત જ મને કાર્તિક પર થોડી સેકન્ડ માટે ગુસ્સો આવ્યો. પરંતુ તે પછી મેં વિચાર્યું, ના આપણી પાસે હજી સમય છે. અમે અહીં જેના માટે આવ્યા છીએ તે તેઓ કરે છે. જ્યારે હું પીચ પર જતો હતો ત્યારે એવું લાગતું હતું કે હું લાંબા સમયથી દોડી રહ્યો છું.
અશ્વિને એમ પણ કહ્યું છે કે તેને ખબર હતી કે નવાઝ તેને પેડ લાઇન પર બોલ કરશે, તેથી તે ઊભો રહ્યો અને બોલને સરળતાથી જવા દીધો. અશ્વિને કહ્યું, જેમ જ મેં જોયું કે બોલ લેગ સાઇડમાં હતો, મેં તરત જ તેને ન રમવાનો નિર્ણય લીધો અને તેને જવા દીધો. આના પર અમને એક રન વાઈડ મળ્યો. આ રન મળતા જ મને ઘણો આરામ મળ્યો.
અશ્વિને પણ આ મેચમાં બોલિંગ કરી અને ઇકોનોમી રીતે કમાલ સાબિત કરી. જોકે, આ અનુભવી ઓફ સ્પિનરને વિકેટ મળી ન હતી. અશ્વિને ત્રણ ઓવર નાખતા 23 રન આપ્યા હતા.
Published On - 9:19 am, Thu, 27 October 22