ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. ટીમના કેટલાક અનુભવી ખેલાડીઓનો સમય જાણે કે હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમને આ અંગે સંકેતો આપવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) પણ તેમાંથી એક છે. આ ખેલાડીને પસંદગીકારોએ રણજી ટ્રોફીમાં રમીને ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) માં વાપસી કરવાનું સૂચન કર્યું છે, પરંતુ ઈશાંત શર્મા માટે અત્યારે રણજી ટ્રોફી (Ranji Trophy) માં પણ તે બહુ સારો દેખાઈ રહ્યો નથી. રણજી ટ્રોફીમાં તે દિલ્હીની ટીમ વતી રમી રહ્યો છે અને જેની હાલમાં ઝારખંડ સામે મેચ રમાઇ રહી છે. જેમાં તેણે શનિવારે દિવસભરમાં માત્ર 9 ઓવર કરી હતી અને જેમાં તેણે 1 વિકેટ ઝડપી હતી.
દિલ્હી ક્રિકેટ ટીમના સિનિયર ફાસ્ટ બોલર ઈશાંતે સિઝનની પ્રથમ મેચમાં ભાગ લીધો ન હતો. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઝારખંડ સામેની બીજી મેચ માટે ટીમ સાથે જોડાયો હતો. પરંતુ અત્યાર સુધી તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
શનિવારે 26 ફેબ્રુઆરીએ મેચના બીજા દિવસે ઇશાંતે ઝારખંડની બીજી ઇનિંગમાં માત્ર 9 ઓવર ફેંકી હતી. જો કે ઈશાંતની શરૂઆત સારી રહી હતી અને તેણે પહેલા સ્પેલમાં જ એક વિકેટ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તેની બોલિંગમાં ધાર જોવા મળી ન હતી અને દિવસની રમતના અંત સુધી તે માત્ર 9 ઓવર જ કરી શક્યો હતો, જેમાં 1 વિકેટ પર 29 રનનો ખર્ચ થયો હતો. લીધો. આ દરમિયાન તે થોડા સમય માટે ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો.
માત્ર બીજી ઈનિંગમાં જ નહીં, પરંતુ પ્રથમ દાવમાં પણ ઈશાંત ખાસ કંઈ કરી શક્યો નહોતો. આ દરમિયાન તેણે માત્ર 4 ઓવર ફેંકી હતી, જેમાં 14 રનનો ખર્ચ થયો હતો. ઈશાંતની જેમ દિલ્હીની પણ એવી સ્થિતિ હતી, જે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની આરે છે. ઝારખંડે પ્રથમ ઇનિંગમાં 27 રનની લીડ લીધી હતી અને પછી બીજી ઇનિંગમાં નાઝિમ સિદ્દીકી (110) અને કુમાર સૂરજ (129)ની ઇનિંગ્સના આધારે 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. જો મેચ ડ્રો થશે તો દિલ્હીને ફરી માત્ર 1 પોઈન્ટ મળશે. તેને તમિલનાડુ સામે માત્ર 1 પોઈન્ટ મળ્યો હતો.
Published On - 9:21 pm, Sat, 26 February 22