35,000 ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર 673 દર્શકો, દિલ્હી ટેસ્ટમાં સૌથી ઓછી હાજરીનો બન્યો શર્મનાક રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે મેચ જોવા માટે એટલા ઓછા દર્શકો આવ્યા, કે એક નવો રેકોર્ડ બનો ગયો. ભારતના મેદાન પર રમાતી ટેસ્ટ મેચના પહેલા દિવસે આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ દર્શાવે છે કે T20 ક્રિકેટના કારણે ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોનો રસ સતત ઘટી રહ્યો છે. ખાસ કરીને ભારતના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચમાં આવો માહોલ ખરેખર ટેસ્ટ ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે.

35,000 ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર 673 દર્શકો, દિલ્હી ટેસ્ટમાં સૌથી ઓછી હાજરીનો બન્યો શર્મનાક રેકોર્ડ
Arun Jaitley Stadium Delhi
Image Credit source: X
| Updated on: Oct 10, 2025 | 5:07 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ દિલ્હીમાં રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 35,000 દર્શકોની ક્ષમતા છે. જોકે, 10 ઓક્ટોબરથી શરૂ થયેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે આખું સ્ટેડિયમ ખાલી હતું. આશ્ચર્યજનક આંકડાઓ અનુસાર, પહેલા દિવસે દિલ્હી ટેસ્ટ મેચ જોવા માટે ફક્ત 673 દર્શકો મેદાન પર પહોંચ્યા હતા. શું આને રોહિત અને વિરાટની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની અસર ગણવી જોઈએ, કે પછી ટેસ્ટ મેચોમાં દર્શકોમાં ઘટતી જતી રુચિ, કે પછી આ કરવા ચોથની અસર છે? સવાલ ગંભીર છે.

દિલ્હી ટેસ્ટમાં ફક્ત 673 દર્શકો

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા દિવસે અરુણ જેટલી સ્ટેડિયમમાં ફક્ત 673 દર્શકો હાજર રહ્યા હતા . ભારતમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે દર્શકોની આટલી મોટી ઉણપ ક્યારેય જોવા મળી નથી. ભારતમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેડિયમમાં દર્શકોની સૌથી ઓછી સંખ્યાનો આ એક નવો રેકોર્ડ છે.

 

કરવા ચોથની ટેસ્ટ મેચ પર અસર?

હવે પ્રશ્ન એ છે કે, દર્શકોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો કેવી રીતે થયો? ખાસ કરીને દિલ્હીમાં, જ્યાં ક્રિકેટ ચાહકોની કોઈ કમી નથી. તેની પાછળનું એક મોટું કારણ કરવા ચોથનો તહેવાર હોઈ શકે છે. આ ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે શરૂ થઈ હતી, જે દિવસે કરવા ચોથનો તહેવાર હતો. દિલ્હીમાં કરવા ચોથ વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે પહેલા દિવસે સ્ટેડિયમમાં દર્શકોમાં રેકોર્ડબ્રેક ઘટાડો થવામાં કરવા ચોથની ભૂમિકા હતી.

રોહિત-વિરાટની ગેરહાજરીની કોઈ અસર છે?

કરવા ચોથ ઉપરાંત, રોહિત અને વિરાટની ટેસ્ટ ટીમમાંથી ગેરહાજરી પણ એક પરિબળ હોઈ શકે છે. જ્યારે કોહલીએ અહીં તેની છેલ્લી રણજી ટ્રોફી મેચ રમી હતી, ત્યારે પહેલા દિવસે પહોંચેલા દર્શકોની સંખ્યા ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં હાજર રહેલા દર્શકોની સંખ્યા કરતા ઘણી વધારે હતી. સ્ટેડિયમ આખું હાઉસફૂલ હતું.

 

અમદાવાદ ટેસ્ટમાં પણ ખૂબ ઓછા દર્શકો હાજર

અગાઉ, અમદાવાદમાં પહેલી ટેસ્ટ પણ 2 ઓક્ટોબરે દશેરાના તહેવાર સાથે શરૂ થઈ હતી. રમતના પહેલા દિવસે પણ દર્શકોનો અભાવ હતો. જોકે, અહેવાલો અનુસાર, દિલ્હી ટેસ્ટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવતા જ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો