T20 World Cup: મેન્ટર ધોનીથી હતી ખૂબ આશાઓ પરંતુ આમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં જોવા મળી આ ભૂલો

|

Nov 09, 2021 | 7:47 AM

ધોનીને ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાનો મેન્ટર બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પોતાના કામમાં ફ્લોપ સાબિત થયો હતો.

T20 World Cup: મેન્ટર ધોનીથી હતી ખૂબ આશાઓ પરંતુ આમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં જોવા મળી આ ભૂલો
Ravindra Jadeja-MS Dhoni

Follow us on

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પહેલા જ્યારે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ટીમ ઈન્ડિયામાં મેન્ટર તરીકે સામેલ થવાના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ ખૂબ ખુશ હતો. આ પગલા માટે દરેક ચાહક BCCI નો આભાર માની રહ્યા હતા. ધોનીએ વર્ષ 2007માં કેપ્ટન તરીકે T20 ચેમ્પિયન બનાવ્યો હતો. હવે દેશને આશા હતી કે તે માર્ગદર્શક તરીકે પણ સફળ થશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયા (Team India)એ બાલિશ ભૂલો કરી હતી. જ્યારે ધોનીના ડ્રેસિંગ રૂમમાં આવી ઘટનાઓ બની જેને જોઈને સાબિત થાય છે કે તે મેન્ટર તરીકે સફળ રહ્યો નથી.

ધોનીની પહેલી ભૂલ- ટીમ ઈન્ડિયાની દરેક રણનીતિ બનાવવામાં મહેન્દ્ર સિંહ ધોની સામેલ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક નિષ્ણાત બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાનો વિચાર ધોનીનો હતો. આ પછી બધાએ તેમના અભિપ્રાયને મંજૂરી આપી. હાર્દિક પંડ્યા ન તો સારા ફોર્મમાં હતો અને ન તો તે બોલિંગ કરવા માટે ફિટ હતો. આમ હોવા છતાં, તે માત્ર ટીમ ઇન્ડિયામાં જ પસંદ નહોતો થયો, પરંતુ તે પ્લેઇંગ ઇલેવનમાં પણ રમ્યો હતો. પરિણામ ટીમ ઈન્ડિયા પ્રથમ બે મેચમાં અસંતુલિત દેખાઈ અને હાર સાથે ભારતની આશાઓ પણ ખતમ થઈ ગઈ.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ધોનીની બીજી ભૂલ- જ્યારે મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરે છે ત્યારે તેને પોતાના શરૂઆતના 11 ખેલાડીઓ પર વિશ્વાસ હતો. ટીમ હારે કે જીતે, ધોની ટીમમાં બહુ ઓછા ફેરફાર કરે છે, પરંતુ T20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં અશાંતિ જોવા મળી હતી. પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.

સૂર્યકુમાર અને ભુવનેશ્વરના પત્તા સાફ થઈ ગયા અને તેમની જગ્યાએ ઈશાન કિશન-શાર્દુલ ઠાકુર રમ્યા. જો આટલા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હોત તો દેખીતી રીતે જ એક માર્ગદર્શક તરીકે ધોની આ માટે સંમત થયા હોત. ટીમ ઈન્ડિયાનો આ નિર્ણય તેની વિરુદ્ધ ગયો અને તેને ન્યૂઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો.

 

ધોનીની ત્રીજી ભૂલ – T20 વર્લ્ડ કપ 2021માં સૌથી ચોંકાવનારો નિર્ણય રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવીને તેની જગ્યાએ ઈશાન કિશનને મોકલવાનો હતો. ધોની પણ આ રણનીતિમાં સંપૂર્ણ રીતે સામેલ હતો. ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

ધોનીની ચોથી ભૂલ – T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની હારનું મોટું કારણ હતું ટોસ. પ્રથમ બે મેચમાં, ભારત ટોસ હારી ગયું, પ્રથમ બેટિંગ કરવા આવ્યું અને મોટો સ્કોર કરી શક્યું નહીં. દેખીતી રીતે પિચ મુશ્કેલ હતી પરંતુ તે બહાનું નથી. પ્રથમ બેટિંગ કરતા ટીમની વ્યૂહરચના સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. પ્રથમ મેચમાં ટોચના 4 બેટ્સમેનમાંથી માત્ર વિરાટ કોહલીએ જ ક્રિઝ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી મેચમાં તમામ બેટ્સમેન મોટા શોટ રમતા આઉટ થઈ ગયા હતા. શુષ્ક પીચ પર, જો ટીમ ઈન્ડિયાએ પ્રથમ 10 ઓવરમાં ઓછામાં ઓછી વિકેટ ગુમાવવાનો પ્રયાસ કર્યો હોત અને છેલ્લી 6 થી 7 ઓવરમાં હુમલો કર્યો હોત તો કદાચ પરિણામ અલગ હોત. ઈંગ્લેન્ડની ટીમે આવું કર્યું અને શાનદાર રીતે પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકા સામેની મેચ જીતી લીધી. દક્ષિણ આફ્રિકાએ પણ આ જ રીતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ધોની ટીમની સાથે હતો પરંતુ ટીમ આટલી સરળ વાત સમજી શકી નહીં. આ ધોનીની નિષ્ફળતા નથી તો શું છે?

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: રોહિત શર્માના શાનદાર શતક સાથે ટીમ ઇન્ડિયાનો નામીબિયા સામે વિજય, કોહલીની વિદાયની ભેટ

આ પણ વાંચોઃ T20 Cricket: ગજબ બોલીંગ ! આ ભારતીય બોલરે 4 ઓવર નાંખી પણ એક રન આપ્યો નહી, 2 વિકેટ પણ ખેરવી દીધી, રચ્યો વિશ્વ વિક્રમ

Next Article