IPL 2021 ની સિઝન બાદ ક્રિકેટની વ્યસ્તતાને અંતે IPL 2022 ના આયોજનને લઇને મેગા ઓકશન યોજાશે. જેમાં ગુજરાત સહિતની નવી ટીમ પણ ઉમેરાશે. તો વળી મેગા ઓકશન (IPL Auction) દરમ્યાન કેટલાક ખેલાડીઓને રિટેન અને કેટલાકને બહારના રસ્તે મોકલવામાં આવી શકે છે. આ દરમ્યાન પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપડા (Akash Chopra) નુ માનવુ છે કે, એમએસ ધોની (MS Dhoni) આઇપીએલને લઇને પોતાને લઇ નિર્ણય જાહેર કરી શકે છે.
આકાશ ચોપડાનુ માનવુ છે કે, ધોની આગામી મેગા ઓકશન પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને જાતે જ પોતાને રિલીઝ કરવા માટે કહી શકે છે. ચોપડાએ કહ્યુ હતુ કે, ચેન્નાઇ સુપર કિંગ્સ મહેન્દ્રસિંહ ધોની પોતાને સૌથી ઉપર રાખશે અને તે એમ જ કરશે. જોકે જો ધોનીને તમે પૂછશો તો, તે કદાચ જાતે જ કહી દેશે કે તમે મને ટીમમાં કેમ રિટેન કરી રહ્યા છો. કારણ કે તે હવે આવનારા ત્રણ વર્ષ તની સાથે નથી રહી શકવાનો. તેઓ તેની પર આટલા બધા પૈસા આખરે શાના માટે ફસાવવા ઇચ્છી રહ્યા છો. સીએસકે અને ધોની બંને એક જ છે.
ચોપડાએ આગળ કહ્યુ હતુ કે, જો કોઇ એવો નિયમ આવી જાય કે, કોઇ પણ ખેલાડીને રિટેન નહી કરી શકાય. તો ચેન્નાઇ આ બાબતને લઇને તુરત જ સહમત થઇ જશે. આ ટીમ એક વાર ફરી થી શરુઆત કરશે. તેણે 15-17 કરોડ આપીને કોઇ ખેલાડી ને રોકવાનો નહી હોય. ચેન્નાઇ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની ને રિટેન કરશે. એટલુ જ નહી સીએસકે દિપક ચાહરને પણ જોડી શકે છે.
ધોની અને CSK ના નાતાની વાત કરવામાં આવે તો, ટીમ ની કેપ્ટનશીપ 12 સિઝનમાં નિભાવી છે. ધોનીની કેપ્ટનશીપમાં ત્રણ વાર ટીમ ટાઇટલ જીતી શકી છે. આઇપીએલ 2020 ને બાદ કરતા દરેક વખતે ટીમ પ્લેઓફમાં પહોંચી છે. વર્ષ 2020 ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ નિવડ્યુ હતુ. જે દરમ્યાન 2008 થી લઇને અત્યાર સુધીનુ સૌથી વધુ ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ.