Rishabh Pant પર મહેલા જયવર્દનેનું મોટું નિવેદન, કહ્યું- આ ખેલાડીમાં છે શાનદાર ઓપનર બનવાની ક્ષમતા

|

Aug 14, 2022 | 10:55 AM

Mahela Jayawardene: મહેલા જયવર્દનેએ કહ્યું કે રિષભ પંતે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવું જોઈએ. તો તેણે કહ્યું કે પંત જ્યાં પણ બેટિંગ કરે છે, પરંતુ આ ખેલાડીની રમત બદલાશે નહીં.

Rishabh Pant પર મહેલા જયવર્દનેનું મોટું નિવેદન, કહ્યું- આ ખેલાડીમાં છે શાનદાર ઓપનર બનવાની ક્ષમતા
Rishabh Pant (File Photo)

Follow us on

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને (Mahela Jayawardene) એ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) પર મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં તેણે કહ્યું કે, રિષભ પંતે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવું જોઈએ. ઘણા સમયથી ભારતીય ટીમ નંબર-3 બેટ્સમેનની શોધમાં છે. આ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે અલગ-અલગ ખેલાડીઓને અજમાવ્યા છે. તો ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) એ ભારતીય માટે ઓપનરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય રોહિત શર્મા અને કેએલએ પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

રિષભ પંતમાં ઓપનર બનવાની ક્ષમતા સારી છેઃ જયવર્ધના

શ્રીલંકાના પૂર્વ સુકાની મહેલા જયવર્દને (Mahela Jayawardene) નું માનવું છે કે રિષભ પંત ભલે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઓપનર તરીકે વધુ રમ્યો ન હોય. પરંતુ આ ખેલાડીમાં શ્રેષ્ઠ ઓપનર બનવાની ક્ષમતા છે. મહેલા જયવર્દનેના કહેવા પ્રમાણે, જે સ્થાન પર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત બેટિંગ કરે પણ આ ખેલાડીની રમતમાં કોઈ ફેરફાર નહીં થાય. તેણે કહ્યું કે રિષભ પંતની કુદરતી રમત ઓપનર તરીકે વધુ સારો વિકલ્પ સાબિત થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

એશિયા કપમાં રિષભ પંત વિકેટકીપર તરીકે પહેલી પસંદ છે

ઉલ્લેખનીય છે કે રિષભ પંત (Rishabh Pant) ની એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે ભારતીય ટીમ (Team India) માં પસંદગી કરવામાં આવી છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે વિકેટકીપર તરીકે રિષભ પંત ભારતીય ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ હશે. એશિયા કપ 2022 માં ભારતીય ટીમ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. તે જ સમયે આ પહેલા બંને ટીમો ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી. તે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Article