
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, IPL 2025 શનિવાર એટલે કે 17 મેથી ફરી શરૂ થઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. પ્લેઓફમાં પહોંચવા માટે, ટોચની 7 ટીમોની દરેક મેચ કરો યા મરોની સ્થિતિ છે. બધી ટીમોએ આ માટે તૈયારી કરી લીધી છે, પરંતુ આ દરમિયાન BCCI માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. કોલકાતાના ક્રિકેટ ચાહકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક નિર્ણયથી ખૂબ જ ગુસ્સે છે. શુક્રવારે (16 મે) Iડન ગાર્ડન્સની બહાર તેઓએ પ્રદર્શન કર્યું હતું.
IPL 2025ની ફાઈનલ પહેલા 25 મે ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે તે શનિવાર (17 મે) થી ફરી શરૂ થયું છે, પરંતુ હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફાઈનલ મેચ કોલકાતામાં નહીં યોજાય. કોલકાતાના ક્રિકેટ ચાહકો આ અંગે ખૂબ ગુસ્સે છે. તેમણે 16 મેના રોજ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
તેમણે કહ્યું કે આ સિઝનની ફાઈનલ એ જ જગ્યાએ યોજવી જોઈએ જ્યાં પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. વિરોધ કરનારાઓએ BCCIને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. આ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
IPL 2025ની ફાઈનલ જે 25 મે ના રોજ યોજાવાની હતી તે હવે 3 જૂને રમાશે. આ ઉપરાંત, ટાઈટલ મેચ હવે કોલકાતાને બદલે અમદાવાદમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આ સિઝનના ક્વોલિફાયર 2 અને ફાઈનલનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ બંને મેચ 1 અને 3 જૂનના રોજ રમાશે.
ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે, આ લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, 12 મેના રોજ, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બાદ, BCCIએ IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર કર્યું. આ મુજબ, હવે ફાઈનલ મેચ 3 જૂને રમાશે. જોકે, ફાઈનલ ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી કોઈ સ્થળ નક્કી થયું નથી.
આ પણ વાંચો: સચિન તેંડુલકર જેને જોઈને ક્રિકેટર બન્યો, 42 વર્ષ પછી પહેલીવાર તેને મળ્યો