MS ધોની પર આરોપ લગાવનાર IPS અધિકારીને 15 દિવસની જેલ
શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલા એક કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. આ મામલામાં ધોની પર આરોપ લગાવનાર અધિકારીને સજા સંભળાવવામાં આવી છે. આ મામલો IPL 2013માં પ્રકાશમાં આવેલા સટ્ટાબાજીના કેસ સાથે સંબંધિત છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એમએસ ધોની એક કોર્ટ સંબંધિત કેસને લઈને ચર્ચામાં છે. એક IPS અધિકારીએ ધોની પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને લઈને MSએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને હવે કોર્ટે તે અધિકારીને જેલની સજા ફટકારી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની
બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ, મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે આઈપીએસ અધિકારી સંપત કુમારને 15 દિવસની જેલની સજા સંભળાવી છે. કોર્ટની અવમાનનાના આરોપમાં આ સજા આપવામાં આવી છે. જો કે, અધિકારીને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવશે નહીં કારણ કે કોર્ટે તેને જવાબ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે.
કયા કેસમાં સજા થઈ છે?
વાસ્તવમાં એમએસ ધોનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે એક મીડિયા ચેનલ, એક અધિકારી અને અન્ય કેટલાક લોકો પર ખોટા આરોપો લગાવવાની વાત કરી હતી. ધોની પર IPL 2013ના ફિક્સિંગ સાથે જોડાયેલા કેસમાં તેનું નામ ખેંચવાનો આરોપ હતો.
અધિકારીએ ખોટા આરોપ લગાવ્યા હતા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલે કોઈએ પણ તેના પર વધુ પાયાવિહોણા આરોપો ન લગાવવા જોઈએ, કોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. જે બાદ IPS અધિકારી સિવાય બધાએ કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો. હવે ફરી એકવાર ધોનીની ટીમ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે તે મામલામાં અધિકારીઓ હજુ પણ ખોટા આરોપો લગાવી રહ્યા છે, ત્યારબાદ હવે આ નિર્ણય સામે આવ્યો છે.
IPLમાં છેલ્લી વખત જોવા મળશે ધોની!
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વર્ષ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આઈપીએલ 2024માં તે છેલ્લી વખત મેદાનમાં જોવા મળી શકે છે. એમએસ ધોનીને છેલ્લી સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યા હતી પરંતુ આશા છે કે તે આ વખતે પણ મેદાનમાં આવશે. હાલમાં જ આઈપીએલની તમામ ટીમોએ ખેલાડીઓની રિટેનર લિસ્ટ જાહેર કરી હતી, જેમાં એમએસ ધોનીને પણ રિટેઈન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રોહિત શર્માએ સૂર્યા વિશે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, 12 વર્ષ જૂનું ટ્વીટ થયું વાયરલ
