
IPL 2025ની 20મી મેચમાં RCBના બેટ્સમેનોએ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને ધોઈ નાખ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 221 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારે શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, આ મેચમાં RCB સાથે મોટો અન્યાય થયો હતો. RCB પાસેથી એક રન છીનવી લેવામાં આવ્યો હતો અને તેનું કારણ ICC નિયમ હતો, જેના પર ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચાલો તમને જણાવીએ કે RCB પાસેથી એક રન કેમ છીનવાઈ ગયો?
આ અન્યાય RCB સાથે તેની ઈનિંગના છેલ્લા બોલ પર થયો. બુમરાહ આ ઓવર ફેંકી રહ્યો હતો અને તેના છેલ્લા બોલ પર વિકેટકીપર જીતેશ શર્મા સામે LBW અપીલ થઈ. અમ્પાયરે જીતેશને આઉટ જાહેર કર્યો. જીતેશે DRS લીધો અને તે નોટઆઉટ રહ્યો. પરંતુ જીતેશને આનો કોઈ ફાયદો થયો નહીં કારણ કે તેને લેગ બાય પર એક પણ રન મળ્યો ન હતો. વાસ્તવમાં, ICCનો નિયમ એ છે કે અમ્પાયર નિર્ણય લેતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે અને પછી બેટિંગ કરતી ટીમ કોઈ રન મેળવી શકતી નથી. પરંતુ આ નિયમ વિવાદાસ્પદ છે અને આકાશ ચોપરાએ પણ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
This silly cricketing error has been ignored by @ICC & @BCCI for years!
2 runs needed off the last ball. Ball hits pad, batter runs 1.
But umpires give him LBW, but DRS overturns it.
That 1 run? Not counted.
Chasing team loses the match. Ridiculous! pic.twitter.com/nPW8QVuP20
— Aakash Kotian (@aakashkotian3) April 7, 2025
A strong feel that this RULE needs to be changed.
The last ball of Jitesh Sharma
Umpire: Your are out! (LBW)
Batter: Runs a single and reviews it.
DRS: You are not out!
Scoreboard: Still 0 runs.
DRS Saves them but the run isn’t counted? What if its last ball 1 to win ?#Bcci— Bala Subramanian (@bala_888) April 7, 2025
ICCના આ નિયમ વિરુદ્ધ ઘણા વર્ષોથી ચર્ચાઓ થઈ રહી છે. RCB સાથે થયેલા અન્યાય બાદ ફરી એકવાર ચાહકોએ તેને બદલવાની માંગ કરી હતી. ચાહકો કહે છે કે જો છેલ્લા બોલ પર બે રનની જરૂર હોત અને બેટ્સમેન લેગ બાય સુધી એક રન બનાવી શક્યો હોત. પરંતુ જો અમ્પાયર આઉટ આપે અને બેટ્સમેન DRSમાં આઉટ ન થાય, તો બોલ ડેડ થઈ જશે અને ટીમને કોઈ રન નહીં મળે અને તે મેચ હારી જશે.
આ પણ વાંચો: MI vs RCB : વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને ધક્કો માર્યો, બેટ પેવેલિયનમાં ફેંકી દીધું, જુઓ Video
Published On - 10:48 pm, Mon, 7 April 25