IPL 2024 PBKS vs RCB: વિરાટ કોહલી સદી ચૂકી ગયો પરંતુ બનાવ્યો આ રેકોર્ડ, IPL ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

|

May 09, 2024 | 11:18 PM

IPL 2024માં વિરાટ કોહલીનું બેટ ફરી બોલ્યું છે. RCBના આ અનુભવી ખેલાડીએ પંજાબ કિંગ્સ સામે 92 રન બનાવ્યા હતા. વિરાટ સદી ચૂકી ગયો પરંતુ આ ખેલાડીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે IPLમાં ઘણા બેટ્સમેનો માટે સપનું છે. વિરાટે પંજાબ સામે ધર્મશાલામાં 195થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. છેલ્લી પાંચ સિઝનમાં વિરાટનું આ બેસ્ટ પ્રદર્શન છે.

IPL 2024 PBKS vs RCB: વિરાટ કોહલી સદી ચૂકી ગયો પરંતુ બનાવ્યો આ રેકોર્ડ, IPL ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
Virat Kohli

Follow us on

વિરાટ કોહલી જ્યારે પણ ક્રિઝ પર આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બને છે અથવા તે રેકોર્ડ તોડતો હોય છે. ફરી એકવાર એવું જ બન્યું છે. IPL 2024ની 58મી મેચમાં વિરાટનું બેટ જોરથી બોલ્યું અને આ ખેલાડીએ 92 રનની શાનદાર ઈનિંગ રમી. વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર ઘણીવાર સવાલો ઉઠાવવામાં આવે છે પરંતુ આ ખેલાડીએ આ મેચમાં તે ફરિયાદ દૂર કરી હતી. વિરાટે 195થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને તેણે 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલી ભલે સદી ચૂકી ગયો, પરંતુ તેણે IPL ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો.

વિરાટનું મોટું પરાક્રમ

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં એક, બે નહીં પરંતુ ત્રણ ટીમો સામે 1000થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વિરાટે પંજાબ સામે 1000 રન પૂરા કર્યા અને આ સિવાય તેણે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ હજારનો આંકડો પાર કર્યો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

600નો આંકડો પાર કર્યો

વિરાટ કોહલીએ આ સિઝનમાં ઘણા રન બનાવ્યા છે. આ ખેલાડીએ 12 મેચમાં 634ના આંકડાને સ્પર્શ કર્યો છે. વિરાટ કોહલીની એવરેજ 70.44 છે અને તેણે 5 અડધી સદી અને એક સદી ફટકારી છે. મોટી વાત એ છે કે વિરાટનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ છે અને છેલ્લા પાંચ વર્ષમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

વિરાટને મળ્યું જીવનદાન

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પંજાબ સામે ઘણો લકી સાબિત થયો હતો. જ્યારે આ ખેલાડી પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો ત્યારે તેનો કેચ આશુતોષ શર્માએ છોડ્યો હતો. આ પછી વિરાટ કોહલીએ પંજાબને કોઈ તક આપી ન હતી. વિરાટે ઝડપી બેટિંગ કરી અને બેંગલુરુને માત્ર 5.3 ઓવરમાં 50 રન સુધી પહોંચાડી દીધું. આ પછી વિરાટે પાટીદાર સાથે શાનદાર અડધી સદીની ભાગીદારી કરી હતી. વિરાટે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વિરાટે મધ્ય ઓવરોમાં પણ આક્રમક બેટિંગ ચાલુ રાખી. અડધી સદી બાદ આ ખેલાડીએ વધુ 4 છગ્ગા ફટકાર્યા. જોકે વિરાટ 92 રન પર હતો ત્યારે તેણે અર્શદીપ સિંહને વિકેટ આપી હતી. જોકે, વિરાટની આ ઈનિંગ બેંગલુરુને 241 રનના મોટા સ્કોર સુધી લઈ જવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs RCB: 0 પર છૂટ્યો કેચ, પછી રજત પાટીદારે સિક્સરનો વરસાદ કર્યો, તોડ્યો મોટો રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article