IPL 2022: અર્જુન તેંડુલકરને ફરી તક ન મળી તો પિતા સચિને કહી આ વાત

|

May 24, 2022 | 8:13 PM

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે, પરંતુ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. તે આ વર્ષે રમશે તેવી અપેક્ષા હતી કારણ કે ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી, પરંતુ તેમ થયું નહીં. હવે સચિન તેંડુલકરે (Sachin Tendulkar) આ બાબતે પોતાનો મત રજૂ કર્યો છે.

IPL 2022: અર્જુન તેંડુલકરને ફરી તક ન મળી તો પિતા સચિને કહી આ વાત
Arjun-tendulkar-Sachin tendulkar
Image Credit source: Instagram

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની બે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની 28 મેચ દરમિયાન સચિન તેંડુલકરના (Sachin Tendulkar) પુત્ર અર્જુનને (Arjun Tendulkar) એક પણ વખત રમવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં દિગ્ગજ ખેલાડીએ તેના પુત્રને શું કહ્યું હશે? આ એક રસપ્રદ પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે માસ્ટર બ્લાસ્ટરે તેના પુત્ર અર્જુનને સ્પષ્ટ કહી દીધું છે કે આ રસ્તો તેના માટે પડકારજનક છે અને તેણે સખત મહેનત કરવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા તેંડુલકરે એ પણ સ્પષ્ટ કર્યું કે તે પસંદગીની બાબતોમાં દખલ કરતો નથી. ડાબોડી ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન અર્જુન તેંડુલકરને પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ તેને આ લીગની બે સિઝનમાં એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી.

જ્યારે તેંડુલકરને પૂછવામાં આવ્યું કે શું તે આ વર્ષે અર્જુનને રમતા જોવાનું પસંદ કરશે, ત્યારે તેણે SatInsight શોમાં કહ્યું, “તે એક અલગ પ્રશ્ન છે. હું શું વિચારી રહ્યો છું અથવા શું અનુભવું છું તેનાથી કોઈ ફરક પડતો નથી. મુંબઈ ઈન્ડિયન્સની સિઝન પૂરી થઈ ગઈ છે.

અર્જુનનો રસ્તો આસાન નહીં હોય

તેંડુલકરે, જેણે ઘણા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે, તેણે કહ્યું ‘અર્જુન સાથે મારી પાસે હંમેશા આ વાત થાય છે કે રસ્તો પડકારજનક હશે, તે મુશ્કેલ હશે. તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું કારણ કે તમે ક્રિકેટને પ્રેમ કરો છો, તે કરતા રહો, સખત મહેનત કરતા રહો અને તમને પરિણામ મળશે.’ 200 ટેસ્ટ રમનાર એકમાત્ર ક્રિકેટર તેંડુલકરે કહ્યું કે જ્યાં સુધી પસંદગીની વાત છે તો તેણે ટીમ મેનેજમેન્ટ પર છોડી દેવું જોઈએ. તેંડુલકરે કહ્યું, “જો આપણે પસંદગીની વાત કરીએ તો હું ક્યારેય પસંદગીમાં મારી જાતને સામેલ કરતો નથી. હું આ બધી બાબતો ટીમ મેનેજમેન્ટ પર છોડી દઉં છું કારણ કે મેં હંમેશા આ રીતે કામ કર્યું છે.’ 22 વર્ષીય અર્જુને તેની કારકિર્દીમાં તેની હોમ ટીમ મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે ટી-20 મેચ રમી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે આશા જાગી હતી

IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ હતું. આ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી, જે તેના આઈપીએલ ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 4 મેચ જીતી શકી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈ પ્રથમ 8 મેચમાં હારી ગયું હતું. ટીમે તિલક વર્મા, રિતિક શોકીન, ડેવાલ્ડ બ્રેવિસ, રમનદીપ સિંહ સહિત ઘણા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે એવું માનવામાં આવતું હતું કે અર્જુન પર પણ પ્રયાસ કરવામાં આવી શકે છે પરંતુ એવું થયું નહીં.

Next Article