IPL 2022: Prithvi Shaw ને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો તે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે નહીં?

|

May 15, 2022 | 5:53 PM

IPL 2022 : પૃથ્વી શો (Prithvi Shaw) બીમાર હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે તેને રજા આપી દેવામાં આવી છે અને તે હોટેલમાં પરત ફર્યો છે.

IPL 2022: Prithvi Shaw ને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો તે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે નહીં?
Prithvi Shaw (File Photo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઈ છે. દરેક ટીમ હવે કોઈ ખચકાટ લેવાના મૂડમાં નથી. દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની તકો પણ ઉજળી છે. આ દરમિયાન તેના માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. તેના સ્ટાર ઓપનર પૃથ્વી શૉ (Prithvi Shaw) ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પૃથ્વી શૉ બીમાર હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે તેને રવિવારે રજા આપવામાં આવી છે અને તે હોટલ પરત ફર્યો છે. જો કે પૃથ્વી શૉ પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે કેમ તે અંગે હાલમાં કંઈ સ્પષ્ટ નથી. મતલબ કે આ અંગેનું સસ્પેન્સ અકબંધ છે.

દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ સોમવારે પંજાબ કિંગ્સ સામે રમવાની છે. IPL 2022 માં પૃથ્વી શોએ તેની છેલ્લી મેચ 1 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી. ત્યારથી તે બીમાર ચાલી રહ્યો હતો. ત્યારબાદ તેને સારી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિલ્હી કેપિટલ્સ ટીમે હોસ્પિટલમાંથી રજા આપ્યાની જાણકારી આપી

દિલ્હી કેપિટલ્સે ટ્વિટર પર પૃથ્વી શૉને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની માહિતી આપી હતી. તેણે લખ્યું, “દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યાં તે ટાઈફોઈડની સારવાર લઈ રહ્યો હતો. શો હવે ટીમ હોટલમાં પરત ફર્યો છે. જ્યાં હવે દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

IPL 2022 માં પૃથ્વી શૉનું પ્રદર્શન

IPL 2022 માં પૃથ્વી શૉએ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે 9 મેચ રમી છે. જેમાં તેણે 28.78 ની એવરેજથી 259 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 61 રહી છે. બીમારીના કારણે તેણે દિલ્હીની ટીમની છેલ્લી 3 મેચમાં ભાગ લીધો નથી.

દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેને વધુ 2 મેચ રમવાની છે. સારી વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ ટીમનો રન રેટ પ્લસમાં છે. એટલે કે આગામી 2 મેચ જીતીને પણ તે પ્લે ઓફમાં પહોંચી શકે છે. પંજાબ કિંગ્સ સામેની મેચ રમ્યા બાદ દિલ્હીની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સાથે છેલ્લી લીગ મેચ રમવાની છે.

Next Article