આજે ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે મહિલા ટીમની આમને સામને ટક્કર થશે. બંને ટીમો વચ્ચે આજે સિરીઝની પ્રથમ વનડે મેચ આજે બ્રિસ્ટલ ના મેદાન પર રમાનારી છે. ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) ની ટીમ આજે ઇંગ્લેન્ડ સામે દમ દેખાડશે. આ પહેલા બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઇ હતી. જે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટ (Indian Womens Cricket) ટીમ ની નવી ખેલાડીઓએ પોતાનો દમ દેખાડ્યો હતો.
ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામે ભારતીય મહિલા ટીમની 3 વન ડે મેચની શ્રેણી રમાનાર છે. શ્રેણીમાં વિજયી શરુઆત કરવા માટે ભારતીય મહિલા ક્રિકેટર ટીમે શક્ય તમામ તૈયારીઓ કરી લીધી છે. રમતના તમામ વિભાગોમાં બારીકાઇથી તૈયૈારીઓ કરવામાં આવી છે. તો વળી મહિલા કેપ્ટન મિતાલી પણ અવનાર નવાર આલોટકોના નિશાને આવી રહી છે. જેને લઇ હવે તેના માટે પણ પ્રદર્શન થી જવાબ આપવાનો મોકો છે.
આમ પ્રથમ વાર થશે કે, જ્યારે બ્રિસ્ટલમાં ભારતીય ટીમ વન ડે મેચ રમતી જોવા મળશે. જોકે આ પહેલા ઇંગ્લેંડમાં તે 29 વન ડે રમી ચુકી છે. જે 29 વન ડે ના આંકડાઓ પર નજર કરવામાં આવે તો. મેચ મિતાલી રાજની પકડ બહારની લાગી રહી છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં રમેલી 29 મેચ માં માત્ર 5 જ મેચ ને જીતી શકી છે. જ્યારે 22 મેચમાં ભારતીય ટીમે હાર સહવી પડી છે. જ્યારે 2 વન ડે અનિર્ણીત રહ્યા છે. બ્રિસ્ટલમાં જીતની શરુઆત કરી ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં પોતાના ખરાબ રેકોર્ડને સુધારવા ઇચ્છશે.
વન ડે ક્રિકેટના આંકડાઓ ને જોવામાં આવે તો ભારતીય ટીમ કરતા ઇંગ્લેન્ડ તરફી જોવા મળી રહ્યા છે. બંને ટીમો એક બીજાની સામે 69 વખત ટકરાઇ ચુકી છે. જેમાં 30 વખત ભારતીય ટીમ જીતી છે. જ્યારે 37 વખત ઇંગ્લેન્ડ. જયારે 2 મેચ અનિર્ણીત રહી હતી. ભારતીય ટીમ બ્રિસ્ટલ જીતવા સાથે સિરીઝ પોતાના પક્ષે કરીને આંકડાઓ ને પણ સુધારવાની તક છે.
ભલે આમ તો આંકડાઓ ભારતીય ટીમના માટે થોડાક નિરાશા આપતા હશે. પરંતુ એક વાત મિતાલી રાજની ફેવર કરી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અંતિમ 5 મેચોના આંકડામાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ કરતા આગળ રહી છે. બંને ભારતીય ટીમ 3 વખત અને ઇંગ્લેન્ડ 2 વખત જીત્યુ છે. આમ ભારતીય ટીમ ને માટે આ એક રાહત રુપ આંકડા છે. આમ ભારતીય ટીમ અંતિમ પાંચ મેચોના પરીણામને, ધ્યાને રાખીને આગળ વધવાનો ઉત્સાહ રાખે તે જરુરી છે.
Published On - 10:54 am, Sun, 27 June 21