ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર રહેલી મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) આજે, પ્રવાસની અંતિમ મેચ રમનાર છે. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં આજે જીત સાથે સ્વદેશ પરત ફરવાનો મોકો છે. શ્રેણી અને પ્રવાસની અંતિમ મેચ ચેમ્સફર્ડમાં રમાનાર છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન ડે શ્રેણીને 2-1 થી ગુમાવી હતી. જ્યારે T20 શ્રેણી 1-1 થી બરાબરી પર છે.
ભારતે પ્રથમ T20 મેચને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ ગુમાવી હતી. જ્યારે બીજી T20 મેચમાં ભારતે શાનદાર રમત વડે શ્રેણીમાં વાપસી કરી હતી. શ્રેણીમાં શરુઆત થી ભારતીય ટીમ (Team India) દરેક ક્ષેત્રમાં મેદાન પર જબરદસ્ત જોવા મળી હતી. ફિલ્ડીંગ થી લઇને બેટીંગમાં પ્રભાવિત પ્રદર્શન કર્યુ હતુ. બીજી T20 મેચમાં ફિલ્ડીંગે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરીફ ટીમના 4 ખેલાડીઓને રન આઉટ કરીને મેચને પોતાના પક્ષે પલટી દીધી હતી.
ફિલ્ડીંગમાં જે પ્રમાણે સારુ પાસુ રહ્યુ છે, એમ મીડલ ઓર્ડર બેટીંગમાં પણ સુધારો કરવાની જરુર વર્તાઇ રહી છે. વન ડે શ્રેણી ની માફક હાલમાં T20 શ્રેણીમાં પણ મીડલ ઓર્ડરમાં સમસ્યા જોવા મળી રહી છે. ટીમને મધ્યમક્રમથી સહયોગ પૂરતો મળી રહ્યો નથી. અંતિમ મેચમાં ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતી મંધાના એ શાનદાર રમત દર્શાવી હતી. તેમણે ટીમને મજબૂત પાયો નાંખી આપ્યો હતો. જોકે તેઓના પેવિલીયન પરત ફરવા બાદ કોઇ બેટ્સમેન મોટી ઇનીંગ રમી શક્યા નહોતા.
તેમના આઉટ થવા બાદ ટીમનો આંકડો 150 ને પણ પાર કરી શક્યો નહોતો. હરલીન દેઓલ અને દિપ્તી શર્મા એ ઝડપ થી રન બનાવવા પડશે. જોકે થોડીક રાહતની વાત એ છે કે, કેપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) ની ઇનીંગ સારી રહી હતી. તેના ટાઇમીંગ વાળા શોટ જોવા મળવા થી આશા જાગી છે કે, તે લયમાં પરત ફરી રહી છે.
ભારતીય બોલીંગ વિભાગમાં સ્પિનરો દમ દર્શાવી રહ્યા છે. તેઓ ઇંગ્લીશ ખેલાડીઓને બાંધી રાખી રહ્યા છે. અને ભૂલ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. જોકે પેસ બોલીંગ માં શ્રેષ્ઠ આપવાની આશા વર્તાઇ રહી છે. જોકે અંગ્રેજ બોલર ખૂબ સારા ફોર્મમાં છે. આવા સમયમાં કરકસર ભરી બોલીંગ આસાન નથી. સ્વભાવિક રીતે આવા સમયમાં એક વાર ફરી થી પૂનમ યાદવ, સ્નેહ રાણા અને દિપ્તી શર્માની સ્પિન તિકડી પર મોટો રોલ રહેશે. જો ભારતીય બોલર ચાલી ગયા તો, શ્રેણી જીતવાનો મોકો મળી રહેશે.