IND vs ZIM: વિરાટ કોહલીને રોકી દેશે ઝિમ્બાબ્વે, કેપ્ટને કહ્યુ-રોજ મોકો નથી મળતો હોતો

|

Nov 05, 2022 | 8:57 PM

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી છે. અત્યાર સુધી માત્ર એક જ મેચ એવી છે જેમાં કોહલી આઉટ થયો છે.

IND vs ZIM: વિરાટ કોહલીને રોકી દેશે ઝિમ્બાબ્વે, કેપ્ટને કહ્યુ-રોજ મોકો નથી મળતો હોતો
Virat Kohli ને લઈ ઝિમ્બાબ્વેનો સુકાની બોલ્યો

Follow us on

T20 વર્લ્ડ કપ ના સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ 6 નવેમ્બર, રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. આ મુકાબલો ખિતાબની દાવેદારમાંની એક ભારતીય ટીમ અને ત્રીજી વખત ટુર્નામેન્ટમાં અપસેટ કરવાની આશા રાખતી ટીમ ઝિમ્બાબ્વે વચ્ચે થશે. મેલબોર્નમાં પોતાના અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમ સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવા માટે ફરી એકવાર આ મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયાને તેના માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ ઝિમ્બાબ્વે આસાનીથી હાર માની લેનાર નથી અને કેપ્ટન ક્રેગ ઈરવિને તો જાહેરાત કરી દીધી છે, કે તે વિરાટ કોહલીને રોકવા માટે તૈયાર છે.

વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયેલી ઝિમ્બાબ્વેએ અત્યાર સુધી ઘણું પ્રભાવિત કર્યું છે. આ પછી ક્રેગ ઈરવિનની ટીમે પાકિસ્તાનને આંચકો આપ્યો અને તેની સેમીફાઈનલની આશાને મોટો ઝટકો આપ્યો. હવે ઝિમ્બાબ્વેની સામે ટીમ ઈન્ડિયાના પડકાર છે અને આ પડકાર સાથે તેમની પાસે વધુ એક તક છે, જેમાં આ ટીમ ફરી પલટવાર કરીને ટૂર્નામેન્ટને રોમાંચક બનાવી શકે છે.

કોહલીને ચૂપ કરવાની તક

ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચવા માટે રવિવારે ઝિમ્બાબ્વે સામે જીતની જરૂર છે. આ માટે ટીમ ઈન્ડિયા તેના તમામ ખેલાડીઓ પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખશે, પરંતુ નજર વિરાટ કોહલી પર રહેશે, જે ટૂર્નામેન્ટમાં પહેલાથી જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન ઈરવિને પણ સ્પષ્ટ કર્યું છે કે તેની ટીમ કોહલીને રોકવાનો પૂરો પ્રયાસ કરશે કારણ કે આવી તકો દરરોજ આવતી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મેચ પહેલા શનિવારે 5 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે વાત કરતા ઈરવિને કહ્યું કે તેના બોલરો કોહલીને રોકવા માટે ઉત્સુક છે. ઇરવિને કહ્યું, ચોક્કસપણે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો સામે બોલિંગ કરવાની આ એક સારી તક છે, તેથી એવું કોઈ કારણ નથી કે અમે મેદાન પર જઈને કંઈક સારું કરવા માંગતા ન હોઈએ. વિરાટ કોહલીને ચૂપ કરવાની તમને કેટલી વાર તક મળે છે? મને ખાતરી છે કે અમારા બોલરો મેચની રાહ જોતા હશે.

જોકે ઈરવિને કહ્યું કે તેણે કોહલી સાથે વ્યવહાર કરવા માટે કોઈ ચોક્કસ યોજના બનાવી નથી અને તેનો પ્રયાસ રહેશે કે બોલરો તેમની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરે અને યોગ્ય લાઇન પર બોલિંગ કરે.

કોહલીનું બેટ સારું ચાલી રહ્યું છે

કોહલી માટે આ વર્લ્ડ કપ શાનદાર સાબિત થયો છે. તેણે પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે અણનમ 82 રનની યાદગાર ઇનિંગ રમીને ભારતને જીત અપાવ્યું હતું. આ પછી તેણે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે પણ અડધી સદી ફટકારી હતી. ભારતે આ બંને મેચ જીતી હતી. કોહલીએ અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં 220 રન બનાવ્યા છે અને માત્ર એક જ વાર આઉટ થયો છે. તે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

Published On - 8:56 pm, Sat, 5 November 22

Next Article