ભારતીય ટીમને પહેલી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે પહેલી ટી20 મેચમાં જીત મેળવી હતી. શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા આજે ઝિમ્બાબ્વે સામે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સિરીઝની રમાઈ રહી છે. હરારેમાં એક દિવસ પહેલા બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેએ બધાને ચોંકાવી દીધા હતા અને T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 13 રનથી હરાવ્યું હતું.
પોતાની છેલ્લી ઓવર માટે આવેલા રવિ બિશ્નોઈએ ઝિમ્બાબ્વેને આઠમો ઝટકો આપ્યો છે. બિશ્નોઈએ વેસ્લી માધવેરે (43)ને આઉટ કરીને પોતાની બીજી વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેની હાર નિશ્ચિત જણાતી હતી પરંતુ લ્યુક જોંગવે અને વેસ્લી માધવેરે કેટલાક રન બનાવી ટીમને 100 રનથી આગળ લઈ ગયા હતા.
ધ્રુવ જુરેલની ચપળતાના કારણે ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા મળી છે. જુરેલે 12મી ઓવરના પ્રથમ બોલને સચોટ રીતે ફટકાર્યો અને વેલિંગ્ટન મસાકાડજાને રનઆઉટ કર્યો.
ઝિમ્બાબ્વેની હાલત ખરાબ થઈ ગઈ છે અને મદંડે પણ બહાર છે. લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ તેને LBW આઉટ કરીને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.
ઝિમ્બાબ્વેએ 5મી વિકેટ ગુમાવી, સુંદરે સફળતા અપાવી
અવેશ ખાને એક જ ઓવરમાં 2 વિકેટ લઈને ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મૂકી દીધું છે. આ વખતે અવશે ઘાતક બાઉન્સર વડે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાની વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેએ ત્રીજી વિકેટ પણ જલ્દી ગુમાવી દીધી છે. ચોથી ઓવરમાં આવેલા અવેશ ખાને બીજા બોલ પર જ નવા બેટ્સમેન ડીયોન માયર્સને આઉટ કર્યો હતો.
બીજી ઓવરમાં બોલિંગ કરવા આવેલા પાર્ટ ટાઈમ સ્પિનર અભિષેક શર્મા પર ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ 19 રન બનાવ્યા હતા. બ્રાયન બેનેટે ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી.
ભારતને પ્રથમ ઓવરમાં જ એક વિકેટ મળી હતી. મુકેશ કુમારના ત્રીજા બોલ પર કૈયા બોલ્ડ થયો હતો.
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 234 રન બનાવ્યા છે. છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે સતત 2 સિક્સ ફટકારીને ટીમને 234 રન સુધી પહોંચાડી હતી. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 229 રન બનાવ્યા હતા. ઋતુરાજ 47 બોલમાં 77 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને રિંકુ સિંહ માત્ર 22 બોલમાં 48 રનની તોફાની ઈનિંગ રમીને અણનમ પાછો ફર્યો હતો.
ઋતુરાજ ગાયકવાડે પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 38 બોલમાં ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ચોથી અડધી સદી છે.
અભિષેક શર્માએ તોફાની સદી ફટકારી છે. અભિષેકે 14મી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારીને માત્ર 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
અભિષેક શર્માએ પોતાની પ્રથમ અડધી સદી માત્ર 33 બોલમાં પૂરી કરી હતી. 11મી ઓવરમાં અભિષેકે ડીયોન માયર્સના સતત 5 બોલ પર 5 બાઉન્ડ્રી ફટકારી હતી, જેમાં 3 ફોર અને 2 સિક્સર સામેલ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ પણ 100 રન બનાવ્યા.
7 ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 40 રન છે. અભિષેક શર્મા 21 બોલમાં 25 રન અને ઋતુરાજ ગાયકવાડ 17 બોલમાં 17 રન બનાવી રમી રહ્યો છે.
4 ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 28 રન છે. અભિષેક શર્મા 11 બોલમાં 19 રન અને ઋતુરાજ ગાયકવાડ 9 બોલમાં 7 રન બનાવી રમી રહ્યો છે.
અભિષેક શર્માએ પહેલી જ ઓવરથી પોતાની રમત દેખાડી દીધી છે અને પછી ત્રીજી ઓવરમાં તેણે બ્રાયન બેનેટના બોલ પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
3 ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 22 રન છે. અભિષેક શર્મા 9 બોલમાં 18 રન અને ઋતુરાજ ગાયકવાડ 7 બોલમાં 2 રન બનાવી રમી રહ્યો છે.
ભારતને પહેલો ઝટકો 10 રનના સ્કોર પર લાગ્યો છે.કેપ્ટન ગિલ બેનેટના હાથે કેચ આઉટ થયો છે. ગિલ માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. ત્રીજા નંબર પર બેટિંગ માટે ઋતુરાજ ગાયકવાડ ઉતર્યો છે. તેની સાથે મેદાનમાં અભિષેક શર્મા ક્રિઝ પર છે.
ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે અને છેલ્લી મેચમાં 0 રને આઉટ થયેલા અભિષેક શર્માએ આ વખતે પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારીને કારકિર્દીનો પહેલો રન બનાવ્યો છે.
ભારતીય ટીમની ફરી ખરાબ શરૂઆત જોવા મળી છે, બીજી ઓવરમાં કેપ્ટન ગિલ આઉટ થયો.
બેટિંગને મજબૂત કરવા માટે સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.
શુભમન ગિલે ન માત્ર નિર્ણય બદલ્યો પરંતુ ટીમમાં પણ ફેરફાર કર્યા. ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ટીમમાંથી દુર કરીને ટીમે બેટિંગને મજબૂત કરવા સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીત્યો છે પરંતુ આ વખતે તેણે પહેલા બોલિંગ કરવાના બદલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લી મેચમાં પ્રથમ બોલિંગ કરીને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી ટી20 મેચ માટે ભારતીય ટીમનું સ્કવોડ જોઈએ તો, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાંઈ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણા સામેલ છે.
ટી20 વર્લ્ડકપમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે બીસીસીઆઈએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે એ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમણે આઈપીએલ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી ટી20 મેચ થોડી જ વારમાં શરુ થશે. ભારતીય સમયમુજબ 4 વાગ્યે ટોસ થશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ હવે આ સીરિઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા તરફથી આ સીરિઝમાં 3 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે.
Published On - 3:50 pm, Sun, 7 July 24