
અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પગની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે એક અઠવાડિયા લાંબી ફિટનેસ ટેસ્ટ અને પ્રેક્ટિસ બાદ તેને રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ઈજાને કારણે તેને ટીમમાંથી ખસી જવાની ફરજ પડી છે.
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ હવે ત્રણ મેચની ODI સિરીઝ માટે તૈયાર છે. 2027 ODI વર્લ્ડ કપની તૈયારીની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિરીઝમાં ટીમ મેનેજમેન્ટ કેટલાક નવા પ્રયોગો અજમાવતા જોઈ શકાય છે. જ્યારે કેટલાક સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે.
STORY | Hardik Pandya ruled out of Afghanistan ODI series due to quadriceps strain
Cleared to play just hours ago, India all-rounder Hardik Pandya was on Wednesday ruled out of the three-match ODI series against Afghanistan after picking up a quadriceps strain.
READ:… pic.twitter.com/JfzXPaVDyp
— Press Trust of India (@PTI_News) June 10, 2026
હાર્દિક પંડ્યાએ તાજેતરમાં IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું. આ 19મી સીઝનમાં તેને કમરના દુખાવાના કારણે કેટલીક મેચો ગુમાવવી પડી હતી. હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું હતું જેના કારણે ફ્રેન્ચાઇઝી સાથે તેની કેપ્ટનશીપ અને ભવિષ્ય અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
આ સિરીઝ પહેલા ભારતીય ચાહકો માટે મોટા સમાચાર એ છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમનો ભાગ રહેશે નહીં. તેની ગેરહાજરીમાં યુવા ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિરાટ જેવા અનુભવી ખેલાડીનું સ્થાન ભરવું સરળ નહીં હોય પરંતુ જયસ્વાલ પાસે પોતાની છાપ છોડવાની મોટી તક હશે.
રોહિત શર્મા જે છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિટનેસને લઈને સમાચારમાં છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે અને સિરીઝમાં રમવા માટે તૈયાર છે. રોહિત અને શુભમન ગિલની જોડી ઇનિંગ્સ ઓપનિંગ કરતી જોવા મળી શકે છે. આક્રમક બેટિંગ અને અનુભવનથી ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી શકે છે.
શ્રેયસ અય્યર આ સિરીઝમાં ખાસ ધ્યાન પર રહેશે. નવા નેતૃત્વ હેઠળ ટીમને સફળ બનાવવાનો પડકાર તેના પર રહેશે. કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને વિકેટકીપરની જવાબદારી પણ સંભાળશે.
બોલિંગ વિભાગમાં કુલદીપ યાદવ મુખ્ય સ્પિન બોલર રહેશે. તેને વોશિંગ્ટન સુંદરનો સાથ મળશે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા મુખ્ય વિકલ્પો હશે. યુવા બોલર ગુરનૂર બ્રારને પણ ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા છે.
1. પહેલી ODI – તારીખ: 13 જૂન
સમય: 01:30 બપોરે
સ્થળ: હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા
2. બીજી ODI – તારીખ: 17 જૂન
સમય: 01:30 બપોરે
સ્થળ: ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ, લખનૌ
3. ત્રીજી ODI – તારીખ: 20 જૂન
સમય: 01:30 બપોરે
સ્થળ: એમ. એ. ચિદમ્બરમ (ચેપૌક) સ્ટેડિયમ, ચેન્નાઈ
બધી મેચોમાં ટોસ બપોરે 1 વાગ્યે થશે. જ્યારે રમત બપોરે 01:30 વાગ્યે શરૂ થશે.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય બેટિંગ કેવું પ્રદર્શન કરે છે. રોહિત-હાર્દિકનું પુનરાગમન કેટલું અસરકારક છે અને યુવા ખેલાડીઓ તેમને મળેલી તકનો લાભ લેશે કે નહીં તેના પર બધા ક્રિકેટ ચાહકોનું ધ્યાન છે. 2027ના વર્લ્ડ કપની તૈયારીઓનો પાયો મજબૂત કરવા માટે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
Published On - 12:52 pm, Wed, 10 June 26