IND vs NZ : વરસાદના કારણે બેંગલુરુમાં પાંચમા દિવસની રમત નહીં રમાય? ટીમ ઈન્ડિયા માટે મોટા સારા સમાચાર

|

Oct 19, 2024 | 8:23 PM

બેંગલુરુ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળશે. ન્યુઝીલેન્ડને મેચ જીતવા માટે 107 રન બનાવવાની જરૂર છે, જ્યારે ભારતને 10 વિકેટો જોઈએ છે. પરંતુ રમતનો પાંચમો દિવસ પણ વરસાદમાં ધોવાઈ શકે છે.

IND vs NZ : વરસાદના કારણે બેંગલુરુમાં પાંચમા દિવસની રમત નહીં રમાય? ટીમ ઈન્ડિયા માટે મોટા સારા સમાચાર
Team India
Image Credit source: PTI

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં 4 દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. રમતના અંતિમ દિવસે ન્યુઝીલેન્ડની ટીમને મેચ જીતવા માટે 107 રનના લક્ષ્યનો પીછો કરવાનો છે. જો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જીત મેળવવી હોય તો તેને 10 વિકેટ લેવી પડશે. આવી સ્થિતિમાં અત્યારે ન્યુઝીલેન્ડનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે ભારતીય ટીમ માટે સારા સમાચારથી ઓછું નથી.

પાંચમાં દિવસે વરસાદનો ખતરો

બેંગલુરુ ટેસ્ટ મેચ વરસાદ સાથે શરૂ થઈ હતી. રમતના પ્રથમ દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો, એક પણ ટોસ થયો ન હતો. ચોથા દિવસે પણ વરસાદના કારણે મેચ ખોરવાઈ ગઈ હતી. દિવસની રમત પણ વરસાદના કારણે વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. હવે રમતના પાંચમાં દિવસે વરસાદનો ખતરો છે, જે ન્યુઝીલેન્ડની જીતની આશા બગાડી શકે છે. જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો મેચ ડ્રો થઈ જશે.

વરસાદની 80 ટકા સંભાવના

Accuweather અનુસાર, બેંગલુરુમાં 20 ઓક્ટોબરે એટલે કે ટેસ્ટ મેચના પાંચમાં દિવસે વરસાદની 80 ટકા સંભાવના છે. આવી સ્થિતિમાં મેચની આશા બહુ ઓછી છે. સવારે 9 થી 10 વચ્ચે વરસાદની 51% સંભાવના છે, જેના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. આ પછી, દિવસભર વરસાદની સંભાવના 45 થી 50% છે. એટલું જ નહીં, સાંજે 4 વાગ્યા સુધી પણ વરસાદની 39% શક્યતા છે. આવી સ્થિતિમાં, જો મેચ શરૂ થાય તો પણ વચ્ચે અવરોધ આવી શકે છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

ટીમ ઈન્ડિયા પર 10 વિકેટ લેવાનું દબાણ

ટીમ ઈન્ડિયા આ મેચની પ્રથમ ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે તેની પ્રથમ ઈનિંગમાં 402 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં વાપસી કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને 462 રન બનાવ્યા. સરફરાઝ ખાન 150 અને પંત 99 રનની ઈનિંગ રમીને આઉટ થયા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં જીત માટે 107 રનનો ટાર્ગેટ રાખ્યો છે, જેનો બચાવ કરવો ટીમ ઈન્ડિયા માટે ઘણો મુશ્કેલ બની રહ્યો છે.

આ પણ વાંચો: IND vs NZ : 54 રનમાં 7 વિકેટ… બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને અચાનક શું થયું? બોલમાં છુપાયેલું છે રહસ્ય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article