ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન (Kane Williamson) બાદ ફાસ્ટ બોલર કાયલ જેમિસન (Kyle Jamieson) બુધવારથી શરૂ થઈ રહેલી ભારત સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેમિસન ટેસ્ટ ફોર્મેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી જ તેણે ટી20 શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. ત્રણ T20 મેચોની શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચો રમાવાની છે. પ્રથમ ટેસ્ટ કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાશે. 25 નવેમ્બરથી શરૂ થનારી આ ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો એક ભાગ છે.
ટીમના કોચ ગેરી સ્ટેડે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘અમે કેન વિલિયમસન અને કાયલ જેમિસન સાથે વાત કર્યા પછી નિર્ણય લીધો છે કે આ બંને ખેલાડીઓ T20 શ્રેણીમાં નહી રમે. તે ટેસ્ટ શ્રેણી માટે ટીમ સાથે જોડાશે. ન્યુઝીલેન્ડ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ચેમ્પિયન છે. તેણે આ વર્ષે જૂનમાં ભારતને હરાવીને આ ચેમ્પિયનશિપ જીતી હતી.
Coach Gary Stead with an update from Jaipur on the T20 and Test Squads ahead of the first match on the G.J. Gardner Homes Tour of India. #INDvNZ pic.twitter.com/8kALjfHro2
— BLACKCAPS (@BLACKCAPS) November 17, 2021
ન્યુઝીલેન્ડ પોતાના ખિતાબને બચાવવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. ભારત સામેની શ્રેણી તેના માટે ચેમ્પિયનશિપના નવા ચક્રની પ્રથમ શ્રેણી છે. આવી સ્થિતિમાં તે જીતવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. ટીમના કોચ સ્ટેડે કહ્યું, ‘વિલિયમસન અને જેમિસન બંને ટેસ્ટ મેચની તૈયારી કરશે.
તેણે કહ્યું, ‘તેઓ બંને ટેસ્ટ મેચની તૈયારી કરશે અને મને લાગે છે કે તમે જોશો કે ટેસ્ટ ટીમના કેટલાક અન્ય ખેલાડીઓ પણ આખી શ્રેણીમાં નહીં રમે.’ સ્ટેડે કહ્યું, ‘તે પાંચ દિવસમાં ત્રણ ટી-20 મેચનું આયોજન અને ત્રણ અલગ-અલગ શહેરોની મુસાફરીને કારણે સંતુલન જાળવવાનો સમય છે. આ ખૂબ જ વ્યસ્ત સમય છે.
કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટિમ સાઉથી T20 ટીમનું સુકાન સંભાળશે. ઉપરાંત, ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ફિટ થઈ ગયો છે અને તે ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. જયપુર, રાંચી અને કોલકાતામાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
Published On - 11:53 am, Wed, 17 November 21