T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ સતત ચોથી સેમીફાઈનલ રમી રહી છે. તો ટીમ ઈન્ડિયા 5મી વખત સેમીફાઈનલ રમી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલની વિજેતા ટીમનો સામનો ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે થશે. જે બારબાડોસમાં રમાશે.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માની ફિફ્ટી
અક્ષર પટેલ 10 રન બનાવી થયો આઉટ, ભારતને સાતમો ઝટકો
ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડયા બાદ શિવમ દુબે શૂન્ય પર થયો આઉટ
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો, હાર્દિક પંડયા 23 રન બનાવી થયો આઉટ
સૂર્યકુમાર યાદવ 3 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, જોફ્રા આર્ચરે લીધી વિકેટ
રોહિત શર્મા ફિફ્ટી ફટકારી આઉટ, આદિલ રશીદે લીધી વિકેટ
રોહિત શર્માની શાનદાર ફિફ્ટી, સિક્સર ફટકારી અર્ધસદી પૂર્ણ કરી, ભારતનો સ્કોર 100ને પાર
મેચ ફરી શરૂ થઈ, રાહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ ક્રીઝ પર હાજર
11:10 વાગ્યે મેચ ફરી શરૂ થશે, બંને ટીમના ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી
વરસાદ બંધ થયો, અમ્પાયરો મેદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા
8 ઓવરની રમત બાદ અચાનક શરૂ થયો વરસાદ, વરસાદના કારણે મેચ રોકાવામાં આવી
ભારતને બીજો ઝટકો, રિષભ પંત માત્ર 6 રન બનાવી આઉટ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી
ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે
10 મિનિટમાં થશે ટોસ, અમ્પાયરોએ પિચનું નિરીક્ષણ કર્યું, બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં
અમ્પાયર થોડા સમય પછી મેદાનની તપાસ કર્યા બાદ ટોસ અંગે નિર્ણય લેશે.
ગયાનામાં વરસાદ થયો બંધ, સેમી ફાઈનલના ટોસમાં થયો વિલંબ
ગયાનાથી સતત સારા સમાચાર આવી રહ્યા છે. લેટેસ્ટ અપડેટ એ છે કે વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને આછો તડકો પણ બહાર આવ્યો છે. તેમજ મેદાનમાંથી કવર પણ હટાવી દેવામાં આવ્યા છે. મતલબ કે સમયસર મેચ શરૂ થવાની અપેક્ષા સતત વધી રહી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલની વિજેતા ટીમ બાર્બાડોસમાં રમાનારી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ માટે સૌથી મોટો ખતરો વરસાદ છે, જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત ફાઈનલમાં પહોંચશે.
ગયાનામાં વરસાદ શરૂ થઈ ગયો છે અને હાલ સ્થિતિ સારી દેખાઈ રહી નથી. મેચ રમાશે કે નહીં તેને લઈ વધી ચિંતા
સેમીફાઈનલ મેચના 2 કલાક પહેલા ગાયનામાં વરસાદ ફરી થયો શરૂ
All In Readiness!
The Semi-Final is upon us ⌛️
Drop in your best wishes for #TeamIndia in the comments below #T20WorldCup | #INDvENG pic.twitter.com/KiQmme8k8M
— BCCI (@BCCI) June 27, 2024
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ત્રીજા નંબર પર રહેશે. છેલ્લી છ મેચોમાં તેણે 132.53ના સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેણે બે અડધી સદીની મદદથી 149 રન બનાવ્યા છે. તે આગામી મેચમાં ભારત માટે સૌથી મોટી આશા હશે. શિવમ દુબે પાંચમા નંબરે ઉતરશે. આ સ્થિતિમાં સંજુ સેમસનને બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર ચમકતો જોવા મળશે. તે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે.આ પણ વાંચો : જો વરસાદ આવશે તો ભારત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં એન્ટ્રી કરશે ! જાણો શું છે આઈસીસીનો નિયમ
ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે આજે મેચ છે, તો વાત કરીએ જૂના ઈતિહાસની બરાબર 593 દિવસ બાદ ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડથી બદલો લેવાની તક છે. યાદ રહે કે છેલ્લા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ 10 નવેમ્બર 2022ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી અને ટાઈટલ જીત્યું. હવે 595 દિવસ બાદ રોહિતની ટીમ આ જ સ્કોર પૂરો કરવા માટે 27 જૂને મેદાનમાં ઉતરશે.
આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે. આ મેચને લઈને ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
ટી 20 વર્લ્ડકપ 2024માં અત્યારસુધી ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતી આવી છે. ત્યારે આજે પણ તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું રહેશે.
Weather in Guyana has been fine since morning. Hi n racy no drop of rain until now!
Is this going to rain heavily in morning as such dry spell for so long was entirely unexpected? pic.twitter.com/FSGWJFeQ1R— Vimal कुमार (@Vimalwa) June 27, 2024
ઈંગ્લેન્ડનો કેપ્ટન અત્યારે શાનદાર ફોર્મમાં છે. ટીમની જીતમાં તેનું મહત્વનું યોગદાન છે, પરંતુ તે જસપ્રિત બુમરાહ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં બુમરાહ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે. બુમરાહે તેને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 10 બોલમાં બે વખત આઉટ કર્યો છે. આ વર્લ્ડ કપમાં બટલર 159ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. જ્યારે બુમરાહ સામે તે 83 પર આવી ગયો છે. જ્યારે બુમરાહ આ વર્લ્ડ કપમાં 3.4ની ઈકોનોમી સાથે બોલિંગ કરી રહ્યો છે,
Preps ✅
Match-Day #TeamIndia geared up for the #T20WorldCup Semi-Final! #INDvENG
— BCCI (@BCCI) June 27, 2024
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદા ર છે. અત્યારસુધી તેમણે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં દર વખતે 50થી વધુ રન બનાવ્યા છે.
અર્શદીપ સિંહ પાસે ટી20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચવાની તક છે. આ સીઝનમાં તે 15 વિકેટ લઈ ચુક્યો છે. જો આજે 3 વિકેટ લે છે તો ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
આજે સેમીફાઈનલ મેચમાં રોહિત શર્મા પાસે ચાહકોને ખુબ મોટી આશા છે, કારણ કે, તે 91 રનની સાથે ભારત માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમણે જે ઈનિગ્સ રમી હતી તેવી આ મેચમાં પણ ચાહકો રાખી રહ્યા છે.
T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હાર આપી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. આફ્રિકાની ટીમે પહેલી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. મેચમાં પહેલા બેટિંગ કરી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ સરળતાથી ટારગેટ ચેન્જ કર્યો હતો.
સેમિફાઇનલ બે માટે કોઈ રિઝર્વ ડે નથી. પરંતુ વધારાનો 250 મિનિટ એટલે કે 4 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે વધારાના સમયમાં પણ મેચ પૂર્ણ ન થઈ શકે તો સુપર 8ના ગ્રુપમાં રહેલી ટીમ ફાઇનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં ભારત ફાઇનલમાં પહોંચશે.
ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે. તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રેવશ કરશે.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવવા તૈયાર છે. બંન્ને ટીમ સેમીફાઈનલમાં ફરી એક વખત આમને-સામને થશે. સેમીફાઈનલમાં બીજી મેચ ભારતીય સમયઅનુસાર ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતની નજર ઈંગ્લેન્ડન સામે હારનો બદલો લેવા પર છે.
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પ્લાન ઈંગ્લેન્ડની નબળાઈઓ પર એટેક કરવા સાથે સંબંધિત છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની નબળાઈઓને નિશાન બનાવવા માંગે છે, જેણે તેમને ગ્રુપ સ્ટેજમાં પરેશાન કર્યા હતા. હા, ઈંગ્લેન્ડ ભલે સેમીફાઈનલમાં પહોંચી ગયું હોય, પરંતુ તેઓ કેવી રીતે પહોંચ્યા એ બધા જાણે છે. ટૂર્નામેન્ટમાં એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડનું ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનું જોખમ હતું, કારણ કે તેની નબળાઈઓ તેની રમત પર પ્રભુત્વ ધરાવતી હતી. ઈંગ્લેન્ડની આ નબળાઈઓ તેના બેટિંગ અને બોલિંગ વિભાગ સાથે સંબંધિત હતી.
T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે છે. ઈંગ્લેન્ડ આસાન પડકાર નથી. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક પ્લાન છે, જેનો ઉપયોગ તેઓ ઈંગ્લેન્ડને હરાવવા માટે ઢાલ તરીકે કરશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે ઈંગ્લેન્ડ પર અલગ દબાણ બનાવવાનું કામ કરશે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ 5મી વખત આમને-સામને થવા જઈ રહ્યા છે. અગાઉ રમાયેલી 4 મેચોમાં બંનેએ 2-2થી જીત મેળવી છે.
ગયાનામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ બેટ્સમેનો માટે મુશ્કેલ બની શકે છે. અહીં રન બનાવવું સરળ કામ નથી. આ મેદાન પર વર્લ્ડ કપ મેચ દરમિયાન પાવરપ્લેમાં માત્ર 6.4ની એવરેજથી રન બનાવાયા હતા. જ્યારે મધ્ય ઓવરોમાં આ સરેરાશ ઘટીને 5.5 થઈ જાય છે, જ્યારે ડેથ ઓવરોમાં પણ માત્ર 7.6ની સરેરાશથી રન બને છે.
ભારત અને ઈંગ્લેન્ડ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 23 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારત 12 વખત જીત્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 11 વખત જીતવામાં સફળ રહ્યું છે. T20 પિચ પર બંને ટીમો વચ્ચે આ 24મી ટક્કર હશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે.
ટી20 ક્રિકેટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમીફાઈનલ મેચ રમાશે. ટી 20 વર્લ્ડકપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ અને ભારત 4 વખત આમને-સામને થયા હતા. બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે
Published On - 1:48 pm, Thu, 27 June 24