
ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન પર ફરી એક વખત આમને-સામને થશે. રવિવારના રોજ ક્વીંસ સ્પોર્ટસ ક્લબમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 વર્લ્ડકપ 2026 રમાશે. ભારત પાસે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતી છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની મેચ હારી હતી. વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પાકિસ્તાને અમેરિકા સામે 6 વિકેટથી જીત મેળવી પોતાના અભિયાનની શરુઆત કરી હતી.ત્યારબાદબાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડની ટીમને હાર આપી હતી. પોતાની પહેલી સુપર સિક્સ મેચમાં ઝિમ્બાબ્વેને 204 રનથી હાર આપી હતી.
ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડકપની સેમિફાઈનલનું સમીકરણ સીધું છે. જો ભારત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહે છે, તો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી સુપર-6નો અંત કરશે. સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી જાય છે તો પણ ટીમ ઈન્ડિયા પાસે સેમિફાઈનલમાં પહોંચવાની તક હશે.ભારતનો નેટ રન રેટ પાકિસ્તાનથી સારો છે. જો આયુષ મ્હાત્રેની ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડે છે તો.ટીમ ઈન્ડિયા માત્ર આ હારથી દુર રહેવું પડશે.
પાકિસ્તાન જો અંડર-19 વર્લ્ડકપની સેમિફાઈનલની ટિકિટ મેળવવી છે. તો તેમણે કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવવું પડશે. આ સાથે મોટી જીત મેળવવી પડશે. પાકિસ્તાનના ખાતામાં હાલમાં 4 પોઈન્ટ છે. જો ટીમ ઈન્ડિયાને હરાવવામાં સફળ રહે છે તો ભારતની બરાબર 6 પોઈન્ટ મેળવી લેશે. પાકિસ્તાનને મેચ જીતવાની સાથે-સાથે ભારતનો નેટ રન રેટમાં પણ પછાડવું પડશે.
આ વર્લ્ડ કપની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાંથી ચારેય જીતી છે. પાકિસ્તાને પણ ચાર મેચ રમી છે, જેમાં ફક્ત ત્રણમાં જીત મેળવી છે અને એકમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે, બંને સુપર સિક્સમાં આમને-સામને છે, જે આ રાઉન્ડની તેમની છેલ્લી મેચ છે.