T20 WC Breaking : ચેન્નાઈની પિચ પર બેટ્સમેનો મચાવશે ધમાલ કે બોલરો કરશે કમાલ? જાણો કેવો છે પિચનો હાલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારત પર જીતનું દબાણ વધ્યું છે. જાણો આજની મેચમાં પિચ કેવી છે.

T20 WC Breaking : ચેન્નાઈની પિચ પર બેટ્સમેનો મચાવશે ધમાલ કે બોલરો કરશે કમાલ? જાણો કેવો છે પિચનો હાલ
India vs Zimbabwe
Image Credit source: X
| Updated on: Feb 25, 2026 | 11:50 PM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચ ગુરુવારે સાંજે 7 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો અત્યંત મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારત પર જીતનું દબાણ વધ્યું છે.

સુપર 8 માં ભારત-ઝિમ્બાબ્વેની ટક્કર

સુપર 8 ની પહેલી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય પછી ભારત ગ્રુપ 1 ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. નેટ રન રેટ -3.800 હોવાથી આગામી બંને મેચોમાં ભારતને મોટો વિજય નોંધાવવો જરૂરી બન્યો છે.

ભારત માટે જીત જરૂરી

ગ્રુપમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ (+5.350) પ્રથમ અને દક્ષિણ આફ્રિકા (+3.800) બીજા સ્થાને છે, જ્યારે ઝિમ્બાબ્વે (-5.350) છેલ્લે સ્થાને છે. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની બાકીની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે અને અન્ય મેચના પરિણામો પણ અનુકૂળ રહેવું પડશે.
બેટિંગ માટે અનુકૂળ પિચ

બેટિંગ માટે અનુકૂળ પિચ

ચેન્નાઈની કાળી માટીની પિચ આ ટુર્નામેન્ટમાં બેટિંગ માટે અનુકૂળ સાબિત થઈ છે. અહીં બેટ્સમેનોને સારો બાઉન્સ અને ગતિ મળે છે, જેના કારણે મોટા સ્કોર બન્યા છે. ઝડપી બોલરો માટે અહીં રન રોકવા અને વિકેટ લેવું મુશ્કેલ રહ્યું છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરતા ચેઝ કરવાનું પસંદ કરે તેવી શક્યતા છે.

હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના

આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ ટીમે અફઘાનિસ્તાન સામે 17.5 ઓવરમાં 183 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો. હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે અને તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જે ખેલાડીઓ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરશે.

T20 માં ભારત-ઝિમ્બાબ્વેના આંકડા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધી 13 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 10 જીત મેળવી છે જ્યારે ઝિમ્બાબ્વેએ 3 વખત જીત નોંધાવી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો એક વખત આમને-સામને આવી હતી અને તેમાં ભારતે 71 રનથી જીત મેળવી હતી. આંકડાઓ ભારતના પક્ષમાં હોવા છતાં, સુપર 8 ના દબાણ વચ્ચે દરેક ઓવર નિર્ણાયક સાબિત થવાની છે.

T20 WC Breaking : શ્રીલંકા પર મોટી જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટે દાવો મજબૂત, પાકિસ્તાન બહાર?

Published On - 11:49 pm, Wed, 25 February 26