
T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 5 માર્ચે યોજાનારી આ મેચ માટે 2 માર્ચે મુંબઈ પહોંચી હતી. સેમિફાઇનલ માટે ટીમ ઇન્ડિયાનો પહેલો પ્રેક્ટિસ સેશન 3 માર્ચે યોજાવાનો હતો, પરંતુ ચંદ્રગ્રહણને કારણે તે સમયસર શરૂ થયો ન હતો. ચંદ્રગ્રહણને કારણે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં વિલંબ થયો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો પ્રેક્ટિસ સેશન સાંજે 6:00 થી 9:00 વાગ્યા સુધી ફ્લડલાઇટ્સ હેઠળ યોજાવાનો હતો. જોકે, ભારતીય ખેલાડીઓ સાંજે 7:20 વાગ્યા સુધી મેદાન પર આવી શક્યા ન હતા. સ્ટેડિયમની લાઇટ્સ પણ સાંજે 6:50 વાગ્યે ચાલુ કરવામાં આવી હતી. તેમાં પણ બધી લાઈટો ચાલુ નહોતી, જ્યારે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ માટે મેદાનમાં પ્રવેશી ત્યારે જ તે ચાલુ કરવામાં આવી હતી.
ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ માટે ટીમ હોટલથી બસ દ્વારા સ્ટેડિયમ પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ખેલાડી હતો જે ટીમ બસ દ્વારા નહીં, પરંતુ પોતાની કારમાં આવ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈમાં કેવો કમાલ કરે છે તેના પર બધાની નજર રહેશે.
Episode 6 of , ft. Head Coach Gautam Gambhir#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvWI | @GautamGambhirhttps://t.co/MDZ5IoNK12 pic.twitter.com/9AJCRVQlsM
— BCCI (@BCCI) March 3, 2026
ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગ કોચ સહિત તમામ પહેલા મેદાન પર પહોંચી ગયા હતા. જોકે, તેમના આગમન પછી પણ ચંદ્રગ્રહણને કારણે પ્રેક્ટિસ સમયસર શરૂ થઈ શકી ન હતી.
ચંદ્રગ્રહણ લગભગ 3 કલાક અને 27 મિનિટ ચાલ્યું હતું. ચંદ્રગ્રહણ બપોરે 3:21 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6:47 વાગ્યે સમાપ્ત થયું હતું. જે બાદ ટીમ ઈન્ડિયાએ મેદાનમાં પ્રેક્ટિસ શરુ કરી હતી.