હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા, લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા

|

Jul 18, 2024 | 10:11 PM

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. એક દિવસમાં હાર્દિક પંડયાને બે ઝટકા લાગ્યા છે. પહેલા વાઈસ કેપ્ટન્સી ગુમાવી અને બાદમાં ડિવોર્સના સમાચાર કન્ફર્મ થયા હતા.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા, લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા
Hardik Pandya & Natasa Stankovic

Follow us on

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ફેન્સને જણાવ્યું કે તે તેના 4 વર્ષના લગ્નજીવનનો અંત લાવી રહ્યો છે. હાર્દિક અને નતાશાએ સાથે મળીને નિર્ણય લીધો છે કે તેઓ હવે અલગ થઈ જશે. હાર્દિકે કહ્યું કે બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે બંનેએ એકબીજાના ફાયદા માટે આ નિર્ણય લીધો. હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવાર હતા.

4 વર્ષ પહેલા લગ્ન થયા હતા

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં થયા હતા. લોકડાઉન દરમિયાન બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020 માં, બંને એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ અગસ્ત્ય છે. તેમના પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફેબ્રુઆરી 2023 માં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો મુજબ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

હવે પુત્ર અગસ્ત્યનું શું થશે?

નતાશા અને હાર્દિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે પરંતુ આ દરમિયાન સૌથી મોટો સવાલ એ છે કે તેમના પુત્ર અગસ્ત્યનું શું થશે? હાર્દિક પંડ્યાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આનો પણ જવાબ આપ્યો છે. હાર્દિકે કહ્યું કે ભલે તે અને નતાશા અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ અગસ્ત્યને સાથે ઉછેરશે. હાર્દિકે તેના ચાહકો અને તમામ લોકોને આ દુઃખદ સમયમાં તેની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ નતાશા પોતાના દેશ સર્બિયા પરત પહોંચી ગઈ છે. હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પણ તેની માતા સાથે દેશ છોડી ગયો છે.

આ પણ વાંચો: IND vs SL: સૂર્યા કેપ્ટન, પંડયાની ગઈ કપ્તાની, જાણો ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે મહત્વની બાબતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:50 pm, Thu, 18 July 24

Next Article