હરભજન સિંહે પાકિસ્તાનનો લીધો ઉધડો, લાઈવ શોમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ ઉગ્ર બોલાચાલી થઈ

|

Jul 12, 2024 | 10:29 PM

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા ત્યાં નહીં જાય તે લગભગ નિશ્ચિત છે. એવા અહેવાલો છે કે BCCIએ ICC પાસે પાકિસ્તાનને બદલે UAE અથવા શ્રીલંકામાં મેચ યોજવાની માંગ કરી છે. આ દરમિયાન હરભજન સિંહની આ મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પત્રકાર સાથે બોલાચાલી થઈ હતી.

હરભજન સિંહે પાકિસ્તાનનો લીધો ઉધડો, લાઈવ શોમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ ઉગ્ર બોલાચાલી થઈ
Anant Radhika Wedding

Follow us on

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાની છે પરંતુ હવેથી આ ટૂર્નામેન્ટને લઈને હોબાળો થઈ રહ્યો છે. સમગ્ર હોબાળો એ છે કે શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? ટીમ ઈન્ડિયાના ફેન્સ આ સવાલનો જવાબ પહેલાથી જ જાણે છે. BCCI ભારત સરકારની પરવાનગી વિના આ પગલું નહીં ભરે અને ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તે લગભગ નિશ્ચિત છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોને લઈ લાઈવ શોમાં ચર્ચા

એવા અહેવાલો છે કે BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલની માંગણી કરી છે, જેના હેઠળ ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા દુબઈમાં પોતાની મેચ રમવા માંગે છે. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની આ મુદ્દે પાકિસ્તાની પત્રકાર અને ભૂતપૂર્વ ખેલાડી સાથે બોલાચાલી થઈ હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

 

હરભજન સિંહ ગુસ્સે થઈ ગયો

હરભજન સિંહ પાકિસ્તાની ચેનલ પર ગેસ્ટ તરીકે જોડાયેલો હતો. એન્કરે તેને પૂછ્યું કે શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે, જ્યારે હાલમાં જ મોટી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. તો તેના પર હરભજન સિંહે સ્પષ્ટ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં બિલકુલ નહીં આવે. હરભજને કહ્યું કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની જરૂર નથી. હરભજન સિંહે કહ્યું કે જો તમે લોકો ટીમ ઈન્ડિયા વિના ટકી શકશો તો તમારે જે કરવું હોય તે કરી શકશો.

ભારતને બાકાત રાખવાની અફવા

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર ફેલાયા છે કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં આવે તો ટીમ ઈન્ડિયાની જગ્યાએ શ્રીલંકા આ ટૂર્નામેન્ટમાં રમી શકે છે. હરભજન સિંહ આ જ મુદ્દે પાકિસ્તાની પત્રકારો પર પ્રહારો કર્યા હતા. તમને જણાવી દઈએ કે એશિયા કપના મુદ્દે પણ આવી લડાઈ થઈ છે. ગત એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં રમી હતી અને ટીમ ઈન્ડિયાએ તે ટૂર્નામેન્ટ પણ જીતી હતી. હવે જો તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ જોવા મળે તો નવાઈ પામશો નહીં.

આ પણ વાંચો: Anant-Radhika Wedding: અનંત-રાધિકાના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો, ધોનીએ પહેર્યો અદભૂત ડ્રેસ, હાર્દિક પંડ્યાનો નવો અંદાજ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:22 pm, Fri, 12 July 24

Next Article